________________
જૂનાગઢ : ૫૩
તરફ અને વર્તમાન કડીયાવા-જવાહર રોડની દક્ષિણથી દાતાર રોડ સુધીને ભાગ કિલ્લામાં આવી ગયો.
ઈ. સ. ૧૮૮૪માં પ્રસિદ્ધ થયેલા ગુજરાત રાજસ્થાન નામના પુસ્તકમાં તેના લેખક શ્રી કાળિદાસ દેવશંકર પંડયા લખે છે કે શહેરમાં બે કિલ્લાઓ છે. જૂના કિલ્લામાં વિશેષ વસતી છે. નવા કિલ્લાને ભાગ બહુ વસતીયાણ નથી તથા જૂના શહેરને ભાગ ઉજજડ છે. ઈ. સ. ૧૮૭૭માં કલકત્તા રિવ્યુમાં પ્રસિદ્ધ થયેલા સી. એમ. નામના અંગ્રેજ લેખકના લેખ સૌરાષ્ટ્ર એન્ડ ધી હિલ ઓફ સેરઠમાં જણાવ્યું છે કે “જૂને કિલ્લા પ્રથમ ગિરિનગર કહેવાતા તેમાં બારાશહીદની કબરો છે.”
એ બંને વિધાને ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે, ધારાગઢ દરવાજાવાળા લત્તા પાસે ઈ. સ. ૧૮૮૪ સુધી જૂના કિલ્લાની દીવાલ હતી અને તેની ઉત્તરે જે ભાગ હતે ત્યાં જૂના શહેરને ભાગ હશે અને તેની અને નવા કિલ્લાની વચ્ચે એક બીજો કિલ્લો હશે. આ દીવાલ પણ ઈ. સ. ૧૮૮૪ પછી પાડી નાખવામાં આવી હશે. તેના અવશેષો અને સ્થાને હજી દષ્ટિગોચર થાય છે.
કાળવા દરવાજે થડા વર્ષો પૂર્વે નગર વિસ્તારની દષ્ટિએ પાડી નાખવામાં આવ્યો ત્યારે તેની નીચેથી વિશાળ ભૂગર્ભ માર્ગ નીકળે તે હાંકી દેવામાં આવ્યું છે. આ દરવાજાનાં દ્વાર, રા નવઘણ રજે પાટણથી લઈ આવ્યું હોવાની લેકવાર્તા કહેવાય છે.