________________
પર : જૂનાગઢ અને ગિરનાર
અદા કૂિલ્લાઓને નિર્દેશ કરે છે તથા ગિરનારને કિલો ઉપર હતા તેમ સ્પષ્ટ કહે છે. એટલે નીચે કિલ્લે તે જૂનાગઢનો કિલે અને ઉપરકેટ પણ તે કિલ્લામાં હતા તે કિલો.
વિશેષમાં રાહ માંડલિકનાં પતન પહેલાં લખાયેલા માંડલિક કાવ્યમાં જીદુગ નગરનું સુરેખ અને વિસ્તૃત વર્ણન છે તે ઉપરથી ફલિત થાય છે કે ઉપરકોટની નીચે નગર વસતું હતું તથા તેમાં પચરંગી પ્રજા વસતી હતી, ત્યાં બજારો, દુકાને અને મકાને પણ હતાં. આ નગરનાં કારોનાં નામે પણ હતાં જે આજ સુધી જેમનાં તેમ છે. મહમૂદે ન કેટ બાંધ્યો હતો તે તેનાં દ્વારનાં મુસ્લિમ પદ્ધતિએ નવાં નામો તેણે આપ્યાં જ હેત ! '
તેણે અમીરોને જૂનાગઢમાં મકાન બાંધવા આજ્ઞા કરી તેથી નગરને વિસ્તાર વધારવાનું આવશ્યક બન્યું હશે અને તેથી આજને ધારાગઢ દરવાજા પાસેને ભાગ અને કદાચ ઉપરકેટની દક્ષિણ તરફને ભાગ તેણે નગરના કિલ્લામાં લઈ લીધો હશે. આજે પણ મુસ્લિમ લત્તાએ આ વધારેલા વિસ્તારમાં છે. મહમૂદ બેગડાએ જુનાગઢ જીત્યા પછી તેને વિસ્તાર વધાર્યો પરંતુ તેણે ન કિલ્લે બાંધ્યો તેમ કહેવું સાચું નથી. - દીવાન રણછોડજી, તેના ગ્રંથ, તારીખે સોરઠમાં કહે છે કે “ઈ. સ. ૧૬૩૩માં બાદશાહના સૂબેદાર ઈસાખાને શહેર ફરતે કિલે બાંધે તેમાં ૧૧૪ બુરજ અને ૯ દરવાજાઓ હતા જેમાંના ૫ દરવાજાઓ બંધ રહેતા અને ૪ ખુલ્લા રહેતા, તે પછી ઈ. સ. ૧૬૬માં મિરઝા ઈશાખારખાને આ કિલ્લો નવેસરથી બંધાવ્યું.” - ઈ. સ. ૧૬૩૩માં શાહી ફોજદાર ઈમારતખાન હતા પણ ઈ. સ. ૧૬૬૧માં તે પદ ઉપર કુતુબુદ્દીન પેશગી હતા એટલે નામમાં કંઈક ભૂલ થયેલી જણાય છે પરંતુ એ સ્વીકારવું જ રહ્યું કે, મુગલ સામ્રાજ્યમાં કિલ્લાનું સમારકામ થતું રહેતું હશે અને વિસ્તાર પણ વધી રહ્યો હશે પણ જૂનાગઢને કિલો પ્રથમ મહમૂદ બેગડાએ જ બાંધ્યો તેવો ઉલ્લેખ આ વિદ્વાન ઈતિહાસકાર કરતા નથી અને તે વિધાનને કઈ સમર્થન મળતું નથી તેથી આ કિલ મહમૂદે બાંધે તેમ માની શકાય નહિ.
ઈ. સ. ૧૮૮માં નવાબ મહાબતખાનજી બીજાના સમયમાં, શહેરની વધતી જતી વસતીને સમાવવા શહેરને વિસ્તાર વધારવા માટે પશ્ચિમ તથા ઉત્તર તરફની દીવાલ પાડી નાખી, બહારને ભાગ અંદર લઈ લેવામાં આવ્યો અને વર્તમાન ગાંધીરેડને સ્થળે કિલ્લે હતા તે દીવાલ તળાવ તરફ ખસેડી, લેતાં રિાતળા કુંડ-ડાયમંડ ટોકીઝથી વંથળી દરવાજા સુધીનો ભાગ પશ્ચિમ