________________
જયુપીટરજીવીનુંમામ જૂનાં હતું તેથી આ નગર જુનાગઢ કહેવાયું ! રેમને આ દેશ સાથે કોઈ સંબંધ ન હતા અને આ તક કેવળ નિરાધાર છે તેથી તે માટે પણ કોઈ ચચ આવશ્યક નથી. '
ભારતમાં અનેક નગરે કે નદીઓનાં વિભિન્ન નામે છે તેમ જુનાગઢનાં પણ ગિરિનગર, નગર, છ , જીર્ણપ્રાકાર, જૂથ, જૂનાગઢ, જૂનાણું પ્રચલિત થયાં અને મૂળ ગિરિનગર વસતું ત્યાં જ વધતાથટતા વિસ્તારમાં આજ પણ તે વસી રહ્યું છે. જૂનાગઢને કિલ્લે
કેટલાક ઈતિહાસકારો એવી માન્યતા ધરાવે છે કે રાહ માંડલિકના પતન પછી સુલતાન મહમૂદ બેગડાએ ઉપરકેટની પાસે જૂનાગઢ વસાવ્યું અને તેની ફરત કેટ બાંધ્યો જે આજનું જૂનાગઢ. ગુજરાતને ફારસી ઇતિહાસ ‘મિરાત સિકંદરી’ સ્પષ્ટ કહે છે કે “આ ફોડ થયા પછી સુલતાને ગુજરાતના શહેર અને ગામમાંથી મેટા મોટા સૈયદ, ઉલ્માઓ અને કાઝીઓને બોલાવી તેમને જૂનાગઢ તથા પાસેના કસબાઓમાં વસાવ્યા. સુલતાન પોતે પણ ત્યાં રહ્યો અને જૂનાગઢનો આબાદી માટે પ્રયાસ કરવા લાગ્યો. તેણે જહાંપનાહ' કિલ્લાની દીવાલોની મરામત કરવા માંડી અને ત્યાં મેટા મેટા મહેલે બંધાવ્યા અને દરેક અમીરને હુકમ કર્યો કે પોતાનો માટે મોટાં મોટાં આલીશાન મકાન બાંધે. ઘેડા સમયમાં અમદાવાદના બેટાનું બીજ એક શહેર ત્યાં વસી ગયું. તેનું નામ મુસ્તફાબાદ પાડવામાં આવ્યું.”
મિરાતે સિકંદરી, રાહ માંડલિકે મહમૂદ સામે કરેલા યુદ્ધના વર્ણનમાં લખે છે કે “સુલતાને મોરચાને બંદોબસ્ત કરી જુદા જુદા મોરચા ઉપર એક એક અમીરની નિમણૂક કરી, જૂનાગઢના કિલાને ઘેરો ઘાલ્યો.” આગળ ચાલતાં તે કહે છે કે “જનાગઢમાં રહેવા કરતાં ગિરનારના મજબૂત કિલામાં જવું વધારે સલાહભરેલું છે.”એવી સલાહ રાહના મંત્રી તનહલે આપતાં કલાના લેકેએ આ સલાહ માન્ય રાખી, વકીલો મોકલી સુલતાનને અરજ કરી કે “સુલતાન અમારા જનનું રક્ષણ કરશે અને અમારા કુટુંબને જે તે કાંઈ ઈજા નહિ કરશે તે અમે કિલામાંથી અમારા કુટુંબ પરિવાર તથા માલસત્તા લઈ કિટલે ખાલી સુલતાનના કદમોમાં સોંપશું. સુલતાને આ વાત કબૂલ રાખી પણ જયારે લેકે કિલે ખાલી કરી ગયા ત્યારે લશ્કરને તેની ઉપર તૂટી પડી કતલ કરવા તથા લૂંટી લેવા હુકમ કર્યો ” મિરાતે સિકંદરી આ વર્ણનમાં જૂનાગઢ અને ગિરનારના