________________
૫૦ : જૂનાગઢ અને ગિરનાર
મૂકેલી કલ્પના સિવાય તેને કેઈ આધાર નથી. જે મહમદ તઘલગે જૂનાગઢ વસાવ્યું હોય તો તેના અનુગામીઓ તેને એક અથવા બીજે સ્થળે જરૂર ઉપયોગ કરતાં પણ તઘલગે કે તે પછીના સુલતાનના સમયમાં કેઈ સ્થળે જુનેગઢ શબ્દ વપરાયે નથી. ઊલટાનું મિરાતે સિકંદરી, આગળ જોયું તેમ જૂનાગઢ નામ પાડવાનું સ્પષ્ટ કારણ આપે છે, તેમાં પણ કહેવામાં આવ્યું નથી કે “જને ઉપરથી જૂનાગઢ થયું. આ અનુમાનથી વિશેષ વિપરીત વિધાન તે એ છે કે, જીર્ણદુર્ગ નામ જૂનાગઢ ઉપરથી થયું. જ્યાં, એતિહાસિક ગ્રંથ, શિલાલેખે અને અન્ય પ્રમાણભૂત આધાર ઉપલબ્ધ છે ત્યાં આ અનુમાન સર્વથા અસ્વીકૃત બને છે અને તેના ઉપર વિશેષ ચર્ચા અનાવશ્યક છે. યવનગઢ
આ તર્કથી વિશેષ હાસ્યાસ્પદ તક છે. લાસને તેના પુસ્તક ઈન્ડેસ આૉહ તેમસ કુન્દ (Indesche Alternhumaskunai)માં કર્યો છે. તે કહે છે કે આ નગરનું નામ ગ્રીક-યવન ઉપરથી યવનગઢ થયું અને તેના ઉપરથી જેનગઢ થઈ જૂનાગઢ થયું. એક વિદ્વાન કહે છે કે યેન શબ્દ ઉપરથી નાગઢ થયું. યેન ગ્રીકેની એક જાતિ હતી. પ્ર. લાસનના તર્કને જેમ્સ બજેસ વગેરે વિદ્વાનોએ સ્વીકાર્યો નથી. યોના જાતિ માટે જૂનાગઢના પર્વતીય લેખમાં યણ શબ્દ વાપર્યો છે અને પંડિત ઉમેશચંદ્ર વિદ્યારત્ન તેના ગ્રંથ માનવેર આદિ જન્મભૂમિમાં સિદ્ધ કરે છે કે તે યણમાંથી જ્યુ-યહૂદી થયા. જે ગ્રી કે- વન કહેવાતા કે તુશાફ યવન હતા તેથી યવનગઢ નામ અપાયું તે પછી આપણે શા માટે ન માનીયે કે કાળ યવન ઉપરથી આ નગર યવનગઢ કહેવાયું ન હેય ? પણ આ તક કેવળ નિરાધાર છે. પ્રો. લાસન, સર ડબલ્યુ ટાન, મિ. વડકેક વગેરેના આધારે પ્રો. પુષ્કરભાઈ ચંદરવાકર આ પ્રશ્ન પર વિચારણા કરે છે પરંતુ જેમ જૂને ગઢ માટે કઈ આધાર નથી તેમ યવનગઢ માટે કોઈ આધાર નથી. જે પર્વતીય લેખમાં યવન તુશાફને ઉલ્લેખ કર્યો તે નગરને ગિરિનગર શા માટે કહ્યું ? જૂનાગઢ
ત્રીજા એક લેખક મહાશય તે એવો તર્ક કરે છે કે રેશમન દેવતા
1 વાકુ, માર્ચ, ૧૯૯૯, શ્રી પુષ્કરભાઈ ચંદરવાકર. 2 પથિક, જન, ૧૯૬૯ જાણવા જેવું, શ્રી વિદુર.