SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જૂનાગઢ : ૪૯ ઉપરથી આવ્યું છે, અને કર્ણદુર્ગ તેનું સંસકૃતકરણ છે. આ વિધાન પર વિચાર કરતાં મહમદ તઘલગનું મૂળ નામ જ નહિ પણ “જાઉન” હતું અને તે ઈ. સ. ૧૩૨૫માં દિલ્હીથી ગાદીએ બેઠો. આ કુર, તરંગી અને કડક સ્વભાવના સુલતાને તેની ત્રાસદાયક વર્તણુકથી તેને અમીરને વિરોધ વિહેરી લીધું અને રાજયમાં ઠેર ઠેર બળવા થયા. ગુજરાતમાં પણ બળ થયો, જે શમાવવા મહમદ ઈ. સ. ૧૩૪૫માં ગુજરાત સૌરાષ્ટ્રમાં આવ્યો. તેને જૂનાગઢના રાહ ખેંગાર ચેથાએ બળવાખોર સરદાર તાઘીને આશ્રાપ આપ્યો છે તે ખબર મળતાં તે જૂનાગઢ ઉપર ચડાઈ લઈ આવ્યું. સુલતાનની સાથે આવેલા તેના ઈતિહાસકાર ઝિયાઉદીન બારનીએ, સુલતાનની ગુજરાતની જુદા જુદા સ્થળે નાખેલી છાવણીઓનું ઝીણવટભર્યું વર્ણન કર્યું છે. તેમાં તે લખે છે કે મહમદ દેવલગિરિથી ભરૂચ આવ્યો ત્યાં તેને માહિતી મળી કે બળવાખોર તાઘી પાટડી અને માંડલ થઈ સૌરાષ્ટ્રમાં ઊતરી ગયું છે. મહમદ તેની પાછળ ચ. તાઘી “કિરનાલ (પાસે બેંકાર (ખેંગાર)ના કિલ્લામાં ભરાયે છે તેવી માહિતી મળતાં તેણે “કિરનાલને કિલે ઘેર્યો, તેનું પતન થયા પછી તે “ડલ (ગોંડલ) ગયે અને ત્યાંથી ઠઠ્ઠા ગયે, જ્યાં ગુજરી ગયો. આ વર્ણનમાં અનેક સ્થાનેનાં અને વ્યક્તિઓનાં નામો આપ્યાં છે, કયાં કયાં તેણે શું શું કર્યું તે પણ જણાવ્યું છે પણ કઈ સ્થળે તેણે પિતાના નામ ઉપરથી જૂનાગઢ વસાવ્યું હોય કે તે નગરને જૂનેગઢ નામ આપ્યું હોય તેમ દર્શાવ્યું નથી. તઘલગ વંશના બીજા ઈતિહાસકાર શસ્થ અફીફી તેની તારીખે ફિરોઝશાહીમાં તથા સુલ્તાન ફિરે છે લખેલા ફરહુતુલ ફિરોઝશાહમાં પણ આ પ્રસંગને કેઈ નિર્દેશ નથી. જ્યારે મહમદ તઘલગને સુલતાન થવાનું સ્વપ્ન પણ આવેલું નહીં ત્યારે તેનું નામ જાઉન હતું અને જે નામ તેણે ગાદીએ આવી, તેના દરજજાને યોગ્ય ન હોવાથી તજી દીધેલું તે નામે તે શા માટે નગર વસાવે ? વસાવે તે મહમદાબાદ કે તઘલગાબાદ કહે, તેને જૂનાગઢ જ શા માટે કહે ? માત્ર ને તથા જૂનાગઢને સામ્ય હોવાથી કોઈ વિદ્વાને આ નવીન શેધ છે તેમ કરી વહેતી 1 ગુજરાતનો ઈતિહાસ, મૌ. અ. ઝફર નદવી, ભાષાંતર શ્રી છોટુભાઈ નાયક 2 ફારસી ભાષામાં ક અને ગ વચ્ચે માત્ર એક માત્રાને ફેર છે. હસ્તપ્રતના વાંચનમાં આ માત્રા રહી ગઈ હોય તો ગિરનાલનું કિરનાલ અને ગેડલનું ઊંડલ વંચાય-સામાન્ય રીતે ગાફનો કાફ લખવાનો રિવાજ છે. જૂ.ગિ.-૭
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy