SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ઃ જૂનાગઢ અને ગિરનાર લેખમાં ગિરનાલ અને ગિરનાર શબ્દો અનુક્રમે વાપર્યા છે. મિરાતે સિકંદરીના લેખક સિકંદર મંજુ, ગુલશને ઈબ્રાહિમના લેખક ફરિસ્તા અને તારીખે ફિરજશાહીના લેખક ઝિયાયુદ્દીન બારની વગેરે મુસ્લિમલેખકે જુનાગઢ માટે કિલ્લાએ કિરનાલ, ગિરનાલ કે ગિરનાર શબ્દ વાપરે છે. એ ઉપરથી એમ માની શકાય કે હિન્દુ રાજાઓ પાસેથી તંત્ર સંભાળનારા મુસ્લિમ શાસકેએ તેમને પગલે ચાલી જૂનાગઢને ગિરનારનો કિલે કહ્યો. પાછળના સમયમાં લેખકે તેનું જૂનાગઢ નામ આપે છે. ઈ. સ. ૧૫૧૪ને જૂનાગઢના બેરવાડ મસ્જિદને લેખ તેની સ્પષ્ટતા કરતાં કહે છે કે, “આ મકાન ગિરનારના કિલ્લામાં કે જેનું નામ મુસ્તફાબાદ રાખ્યું છે તેમાં બાંધ્યું છે. સારાંશ ગિરનારને કિલે તે જ જૂનાગઢ જુનાગઢ * એવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે કે મુસ્લિમેએ જીર્ણદુર્ગ કે જીર્ણગઢમાંથી જૂનાગઢ નામ કરી નાખ્યું કેટલાક વિદ્વાને એમ પણ માને છે કે તેનું સ્થાનિક અને લેકમાન્ય નામ જૂનાગઢ હતું પરંતુ વિદ્વાનોએ તેનું સંસ્કૃતકરણ કરી જીર્ણગઢ નામ પુસ્તકે અને અભિલેખમાં લખ્યું. ઈતિહાસ અને સાહિત્યમાં કરેલા ઉલ્લેખ તપાસતાં એમ સ્પષ્ટ થાય છે કે જયારે આ નગર જીર્ણદુર્ગ તરીકે ઓળખાતું ત્યારે અને તે સમયે તેનું નામ જૂનાગઢ પણ હતું. ઈ. સ. ૧૩૭૪માં “તીર્થમાળા સ્તવન” નામની તેની રચનામાં જૈન વિદ્વાન વિનાપ્રભ લખે છે કે “વીરહુ એ વરૂણથલીયંમિ જૂનઈગઢી સિરિપાસ પહુચડિયઉ એ ગિરિ–ગિરનારિ દીઠઉ નયણિહિ મિજણું વગેરે. તેમાં નિરવર 'ગિરનારની સમીપે જૂનાગઢ અર્થાત્ જૂનાગઢ છે તેમ કહે છે: એ જ પ્રમાણે, એ જ અરસામાં લખાયેલા બૌત્ય પરિપાટી સ્તવન”ના લેખક શ્રી જિનતિલકસૂરી લખે છે કે “જૂનગઢ પાસ ને જલવિહાર નવપલ્લવ મંગલપુરી મઝાર આ પ્રમાણે સામે શંકા કરવા કોઈ કારણ નથી અને તેનાથી એ સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે ચૌદમી સદીમાં આ નગર જુનાગઢ તરીકે પણ જાણીતું હતું. - આટલાં સ્પષ્ટ પ્રમાણે છતાં કેટલાક વિદ્વાનોએ એવાં નિરાધાર અનુમાને કર્યા છે કે જૂનાગઢ નામ સુલતાન મહમદ તઘલગનાં મૂળ નામ “જુના 1 શ્રી જૈન સાયપ્રકાશ, અમદાવાદ, તા. ૧૫-૧૦-૧૯૫૧. આ પુરતક તે વહેલું લખાયું હશે પણ ઉપલબ્ધ પ્રત વિ. સં. ૧૪૩૦માં લખાઈ છે જેના ઉપર શ્રી ભંવરલાલજી નાહટાએ ટીપ્પણ કર્યું છે. [2 જૈન તીર્થોને ઈતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા, ૧૯૪૯, સંપાદક, શ્રી ન્યાયવિજ્યજી મહારાજ.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy