________________
જૂનાગઢ : ૪૭
પ્રે. ક્રામીકેરિયટ તેના હિસ્ટ્રી એક્ ગુજરાતમાં કહે છે તેમ તે નામ આપનારના મૃત્યુ પછી મુસ્તફાબાનું અસ્તિત રહ્યું. હેાવાનું જણાતું નથી. એક જુલ્મી શાસકની તરંગી ઈચ્છાથી ધણી સદીઓથી પરિનાયત થયેલું નામ ભૂંસી શકાયુ નહિ અને જૂનાગઢ નામ તેના આતે પ્રખ્યાત વિજેતાના વંશના અને તેના રાજના અંત પછી પણ જીવતું રહ્યું છે.”
ઈ. સ. ૧૮૭માં બ્રિટિશ સાર્વભૌમત્વ સ્થપાયુ. ત્યારે જૂનાગઢ નામ રાજ્યસ્વીકૃત નામ થઈ ગયું. ગિરનાર (નગર)
વિ. સ. ૧૨૩૨ ઈ. સ. ૧૧૭૬ લગભગ શ્રી વિયંસેનસૂરીએ રચેલા રૈવતગિરિ રાસમાં, વિ. સ’. ૧૩૫૩ ઈ. સ. ૧૨૯૭ લગભગ શ્રી વિનયચંદ્રસૂરીએ લખેલી નેમીનાથ ચતુષ્પાદિકામાં, વિ. સં. ૧૭૬૧ ઈ. સ. ૧૩૦૫ માં શ્રી મેરૂતંગસૂરીએ રચેલા પ્રબંધચિંતામણિમાં, વિ. સં. ૧૨૫૦ ઈ. સ. ૧૧૯૪ વિ. સ’. ૧૩૦૦ ઈ. સ. ૧૨૫૪ વયમાં કવિ સામેશ્વરરચિત કીતિ કૌમુદ્દીમાં અને અન્ય ગ્રંથામાં ગિરનારનાં વણુ ના છે પણ તેમાં જીણુ દુ, જીણુ ગઢ કે ગિરિનગરના કેાઈ ઉલ્લેખ નથી. આ સમયના લેખાએ ગિરનાર તરીકે જ નગરના પશુ ઉલ્લેખ કર્યાં છે. તેનું શું કારણુ હરો તે અનુમાનના અથવા સંશોધનના વિષય છે કે એમ માની શકાય કે મૂળરાજ સોલકીથી માંડીને કરણ વાઘેલા સુધીના ગુજરાતના રાજાની જૂનાગઢ ઉપર અખ હતી. તેમણે વારવાર આક્રમણા કરેલાં અને રાખની અને પ્રજાની પાયમાલી કરેલી. તેના આશ્રિત કવિઓએ અને લેખાએ જૂનાગઢ જાણે હસ્તી જ ધરાવતું ન હતું. તેમ માની તેના જરા જેટલા પણ ઉલ્લેખ કરવાનું ઉચિત ધાર્યું નથી. ગિરનાર ઉપર તા પવિત્ર મદિરા હતાં એટલે તેની યાત્રા કર્યા સિવાય કે તેનાં વણું ના કર્યા સિવાય ચાલે નહિ તેથી ગિરનારને મઽત્ત્વ આપવામાં આવ્યું, એમ પણ માની શકાય કે ચુડાસમા રાજાએના જીણુ દુગ ને કાઈપણ પ્રકારની પ્રસિદ્ધિ કે અગત્ય ન મળે તે માટે પણ તેમણે તેના ઉલ્લેખ ન કર્યાં ઢાય 1 અને તેથી તેમણે જ્યાં જ્યાં ગિરનાર લખ્યું છે ત્યાં તે શબ્દ નગર માટે વાપર્યાં છે તેમ સમજવું જોઈએ.
ગુજરાતના પાટનગરમાં જીણુ દુત્ર ગિરનાર તરીકે એળખાયું અને ઈ સ. ૧૩૦૦માં ગુજરાતમાં મુસ્લિમસત્તા સ્થપાઈ ત્યારે તેઓએ પણ જૂનાગઢને ગિરનાલ–ગિરનાર ૩ કરનાલના કિલ્લો કહ્યો. ઈ. સ. ૧૪૧૩ના માંગરાળના શિલાલેખમાં અને ઈ. સ. ૧૪૭૨ના જૂનાગઢની ખેારવાડની મસ્જિદના શિલા