________________
૪૬ ૪ જૂનાગઢ અને ગિરનાર જીણું પ્રાકાર
ઈ. સ. ૧૪૧૩ના રાજપાતાકના પાવળિયામાં રહ મેલગદેવ માટે લખ્યું છે કે એ “અઢાર રાજપુત સાથે વંથળી છોડી જીણું પ્રાકાર પહોંચી ગયો.” આ “જીર્ણપ્રાકાર' નામે એક જ સ્થળે વપરાયું છે. આ નામ જીર્ણદુર્ગ માટે જ વપરાયું હોવાનું જણાય છે. સંભવ છે કે કદાચ દુર્ગ અંતર્ગત
આવેલે ઉપરકેટ એ નામથી ઓળખાતા હોય ! - ઉગ્રસેનગઢ છે. ' ' ઉગ્રસેનગઢ તે જૂનાગઢનું જ નામ હતું તેવી માન્યતા જૈન ગ્રંથના આધારે
ધણા વિદ્વાની છે. શ્રીકૃષ્ણના સમયના યાદવ ઉગ્રસેન સાથે જીર્ણદુર્ગને ભેળવી દેવાનું સાહસ પણ કેટલાક લેખકોએ કર્યું છે પણ જ્યાં યાદવે અહીં હતા જ નહિ તેમજ તે સમયમાં “ગઢ' ન હતા ત્યાં તે સિદ્ધાંત સ્વીકાર્ય બનતા નથી. રાહ કવાટના સભ્યોને અધિપતિ ઉગ્રસેન વા ઉગાવાળો હતો અને તેણે ઉપરકેટનું યુદ્ધને માટે નિર્માણ કર્યું હોય અને તેથી ઉપરકેટને ઉગ્રસેનગઢ કહ્યો હોય તે અસંભવ નથી પરંતુ એ સ્પષ્ટ છે કે જૈન સાહિત્યમાં આ નામનો ઉપયોગ થયો છે તે સિવાય કઈ આધાર નથી વિવિધ તીર્થકલ્પમાં તેજલપુરસ્સ પૂર્વે દિશાએ ઉગ્યસેગઢ નામ દુગ્ગ–' હેવાને ઉલેખ છે અને તેજલપુર તે ગિરનારની તળેટીમાં હતું તેથી તેજલપુરની પૂર્વે જૂનાગઢ હતું તેમ માની જૂનાગઢનું નામ ઉગ્રસેનગઢ હતું તેમ પ્રતિપાદિત કરવાનું સાહસ કરવામાં આવ્યું છે. તેજલપુર આજના મજેવડી ગામ પાસે હતું અને ત્યાં આજે પણ તાજપુર કે તેજપુરને ટીંબો કહેવાય છે. તેની પૂર્વે કેઈ નગર ઉગ્રસેનગઢ નામનું ત્યારે હેય. દીવાન રણછોડજી તારીખે સોરઠમાં ઉપરોટનું નામ ઉગ્રસેનગઢ હતું તેમ કહે છે. ઉગ્રસેનગઢ નામ કદી પણ જૂનાગઢ નગરનું હેવાનું જણાતું નથી. ખેંગારગઢ * એ જ રીત ખેંગારના સમયમાં કદાચ જૂનાગઢ ખેંગારગઢ કહેવાયું હેય અથવા વિવિધ તીર્થકલ્પમાં અને અન્ય ગ્રંથમાં તેને ખેંગારનું નગર કહ્યું હેય તે બનવાજોગ છે. બાકી આ નગરનું લોકમાન્ય કે રાજયસ્વીકૃત નામ ખેંગારગઢ હેવાનું અન્ય પ્રમાણેથી જણાયું નથી. સુતકાબાદ
મહમદ બેગડાએ જૂનાગઢ જીતી તેનું નામ મુસ્તફાબાદ કરી નાખ્યું પણ