SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ઃ જૂનાગઢ અને ગિરનાર ઘેરાઓ માટે તેને ઉગાવાળા દ્વારા રાહ કવાટે સુસજજ કર્યો અને તેથી તેને નામ આપ્યું હોય તે સંભવિત છે પણ તે માટે પણ કઈ ઐતિહાસિક પ્રમાણ નથી. - આમ ઉગ્રસેનગઢ તે ઉપરકેટ એ અનુમાન કરવા માટે કોઈ આધાર લાયક ભૂમિકા નથી પરંતુ જે તેનું મૂળ નામ ઉગ્રસેનગઢ હોય તો તેમાંથી ઉગ્ર, ઉમરગઢ થયું અને તેમાંથી ઉપરકોટ થયું તેમ માનવામાં બાધ નથી. “મિરાતે સિકંદરી” તેને જહાંપનાહને કિલ્લ કહે છે. ફરિસ્તા મહાબલીયાહ કહે છે. જયારે મહમૂદ બેગડાએ જૂનાગઢનું નામ મુસ્તફાબાદ પાડ્યું ત્યારે તેણે ઉપરકેટને જહાંપનાહ નામ આપ્યું હશે. જીર્ણદુર્ગ ઉજજડ પડેલા ગિરિનગર ઉપર ઝાડી થઈ ગઈ તેને દુર્ગ પણ ખંડિયેર થઈ ગયો અને તેની આસપાસ જંગલ થઈ ગયું. સિરાતે સિકંદરી કહે છે. કે “જૂનાગઢ નામ પડવાનું કારણ સોરઠના કેટલાક લે કે એવું કહે છે કે જૂના કાળમાં સોરઠ દેશના રાજાની રાજધાની જૂનાગઢથી પાંચ કેસ દૂર આવેલા મોજે વંથળી હતી. વંથળી અને જૂનાગઢની વચમાં એક એવું જંગલ હતું કે તેમાંથી ઘડે કે માણસ પણ દાખલ થઈ શક્તાં નહિ.” આ જંગલમાં આવેલા એક કઠિયારાએ દુગ તથા તેના દ્વારે જોયાં. તેણે રાજાને વાત કરતાં તે રાજાએ જગલ કપાવી નાખ્યું. આ દુર્ગ કયારે બંધાય તેના માટે રાજાએ ઈતિહાસના જ્ઞાતાઓને પૂછયું પરંતુ જ્યારે તેઓએ અજ્ઞાનતા બતાવી ત્યારે તે કિલાને જૂનાગઢ એટલે જૂને કિલે કહ્યો કારણ કે તેની રચનાને કાળ કે રયિતાને કઈ જાણતું નથી. આ રાજા કેણ હતા તે માટે કલ્પના કરવાની રહે છે. ઈતિહાસને કમ તથા પ્રસંગે જોતાં તેમજ પ્રભાસખંડમાં આ નગર જીર્ણદુર્ગ નામે ઓળખાશે તે વિધાન જોતાં આ રાજા ચંદ્રચૂડ હશે, અથવા તેના અન્ય અનુગામીઓએ આ કેટ સમરાવી યુદ્ધ માટે સુસજજ કર્યો હશે, તે પ્રસંગે જ્યારે ગિરિદુર્ગ–ઉપરકેટનું નવનિર્માણ કર્યું ત્યારે તેની સમીપે વસતા ગિરિનગરનું પણ પુનનિર્માણ કર્યું હશે. એને દુર્ગ જીર્ણ હતા તેથી તેને છર્ણદુર્ગ કહ્યો અને નગર પણ તે જ નામે ઓળખાયું. પાછળથી દુર્ગ ઉપરકોટ તરીકે જાણીતા થયે તે સમયે જીર્ણદુર્ગ નગર હતું અને તેની અંતર્ગત ઉપરકોટ હતા. આજે પણ ઘણું જૂનાં નગરની અંદર ભીતર છેટ હૈય છે, તેમ તેમાં રાજકુટુંબ રહેતું હશે અથવા યુદ્ધકાલે, આક્રમો સામે બહાર કિલો તૂટી પડે પછી પ્રતિકાર કરવા માટે તેને ઉપયોગ થતું હશે * આ સ્થાન ગિરનારની તળેટીમાં અન્યત્ર હશે, આજે તેનું અસ્તિત્વ નથી.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy