________________
:
:
.
a નાગઢ અને ગિરનાર અવેરી સંપ્રદાયના અવધૂતો પણ ઓઘડ કહેવાય છે. કાશીમાં થઈ ગયેલા પ્રસિદ્ધ ઓઘડ કનિરામજી ગિરનારમાં આ સ્થળે, રહેલા અને ત્યાં તેમને ગુરુ, દત્તાત્રયનો સાક્ષાત્કાર થયે હતા એમ પણ કહેવાય છે.' કમંડલ કુંડ ,
અહિંથી હું માર્ગ ખંડન કરી નીચે ઉતરતાં જમણાં હાથ ઉપરના સોપાન મા કમંડલ કુંડની રમણીય જગ્યામાં જવાય છે. ગિરનાર મહાત્મા કહે છે કે તેની સમીપે નંદીશ્વર મહાદેવ છે. અહિં રત્નવાડી અર્થાત રતન બાગ નામનું સ્થાન છે.
ત્યાં દતાત્રયને ધૂણે છે. પાંડવ ગુફા
કમંડલ કુંડ પાસે છ માણસે બેસી શકે એવી એક ગુફા છે તેથી તે પાંડવ ગુફા કહેવાય છે. અનસયા
અહિં થોડે આગળ જતાં અનસુયાની ટેકરી છે અને ત્યાં ગુફામાં અનસુયાની મૂર્તિ છે. કાલિકા
પાંડવ ગુફાની દક્ષિણે કાલિકાની ટૂક આવે છે, ત્યાં જવા માટે પગથિયાં નથી. કેડી દ્વારા જેવાય છે. અહિં માતાજીનું માત્ર મુખાવિંદ છે, જેની પૂજા
થાય છે.
દતાત્રેય
ત્યાંથી પાછા ઉપર આવી આગળ વધતાં ઊંચા અને અદ્ધર ઊભેલા
1 ગુલાબરાય ચરિત્ર, લેખક શ્રી જટાશંકર હરજીવન વોરા,
શ્રી ગુલાબરાય જુનાગઢના નાગર ગૃહસ્થ હતા તથા એજન્સીમાં અમલદાર હતા, તેમને જન્મ ઇ. સ. ૧૮લ્માં થયેલા અને મૃત્યુ ઇ. સ. ૧૮૫માં થયું. તેમણે વાગીશ્વરી પદમાવતી, હાટકેશ્વર, હિંગળાજ, કનકાઈ, બ્રહમપોળનાં અંબાજી આદિ મંદિરમાં પણ રૂપાનાં દ્વારા થડાવેલાં તથા બીજા દેવસ્થાનમાં ધર્મશાળાઓ બંધાવેલી ઇન્દુલાલ દુર્લભજી ભુવા ટ્રસ્ટ તરફથી અહિ એકધર્મશાળા બાંધવામાં આવી છે. તેનું ઉદ્દઘાટન તા. ૧૦-૧૧-૧૮૭ના રોજ થયું. 2 ઓઘડ ભગવાન રામ (હિન્દી) લેખક છે. યશનારાયણ ચાતુર્વેદી.