SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનાર : ૪૧૭ ગિરનાર મહાત્મ્ય અનુસાર ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અહિં અંબાજીની સ્તુતિ કરેલી ગિરનારમાં જેમ પાંચ રકાર ગણાવ્યા છે તેમ પાંચ રતને, ગિરિ, ગિરિ, ગિરજા, ગંગા અને ગુરૂ કહેવાય છે તે પૈકી ગિરજાનું આ મંદિર છે. જો કે તેને ગિરનારી માતા પણ કહે છે. ગિરનાર મહાઓ એમ પણ કહે છે કે બ્રહ્માએ શંકરને પ્રસન્ન કરી વર માગે કે મેં સચરાચર શૈલેય ઉત્પન્ન કર્યું છે તે આપ પણ ભાવ રૂપે આ મૂર્તિ ત્યાગ કરી ઉત્પન્ન થાઓ' શંકરે તેથી ગિરનાર ઉપર વાસ કર્યો. પાર્વતીએ જયારે શંકરને ન જોયા ત્યારે દેવતાઓ ઉપર ક્રેપ કર્યો અને શંકર કયાં છે તે કહેવા અનુરોધ કર્યો. દેવતાઓને ખબર ન હતી કે શંકર કયાં છે તેથી તેમણે પુષ્કળ શોધખોળ કરી અને તેઓને શંકર, ભવનાથ સ્વરૂપે ગિરનારમાં છે તેવા સમાચાર મળ્યા, પાર્વતીને તે ખબર આપતાં તે કાર્તિકેય તથા ગણપતિ સાથે અહિં આવીને વસ્યાં, આ મંદિર ઉપર ઈ. સ. ૧૮૮૪ના જૂન માસની ૨૨ મી તારીખે વીજળી પડતાં ડું નુક્સાન થયેલું પણ તેનું તરત જ સમારકામ કરાવી લેવામાં આવ્યું. - શ્રી અંબાજી મંદિરમાં નીજ મંદિરના દ્વારમાં જૂનાગઢના સ્વ. ગુલાબરાય અંબાશંકર જોશીપુરાએ વિ. સં. ૧૯૦૮ માં રૂપાનાં કમાડ ચડાવી માતાજીને અર્પણ કર્યા છે. જૂનાગઢના તત્કાલીને દીવાન ગોકુલજી ઝાલાએ મંદિરની દક્ષિણે એક ધર્મશાળા પણ બંધાવી છે. શ્રી અંબાજીના મંદિરની દક્ષિણ તરફ ખપ્પર નામથી ઓળખાતી જગ્યામાં પાણીને ચો છે. તથા પાસે એક બેરડી છે તેના જાળાં ઉપર માનતાના ચીંથરાં ચડે છે તે ચીંથર બોરડી કહેવાય છે. શ્રી ગેરખનાથ અંબાજીથી દક્ષિણ દિશામાં આગળ ચાલતાં ગુરુ ગોરખનાથની ટૂંક આવે છે. તે ગિરનારની ટૂંકમાં સહુથી ઊંચી છે. અહિં ગોરખનાથ જન ધૂણે તથા પાદુકા છે. આ જગ્યા નાથ સંપ્રદાયની છે અને તે સાથેની બીજી જગ્યા શ્રી નાથજીને દલી નગરમાં છે. એઇડ ત્યાંથી આગળ ચાલતાં ઓઘડની ટૂંક છે નાથ સંપ્રદાયના લેગીઓ કાનમાં ચીરે લીધા પૂર્વે એવઠ કહેવાય છે. તેઓનું આ ટૂંક ઉપર સ્થાન હશે. જ. મિ–૫૩
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy