________________
1 જૂનાગઢ અને ગિરનાર હનુમાન ધાણા
શેષાવન જવાના માર્ગમાં હનુમાનધારાની જગ્યા આવે છે તેને હનુમાન દ્વાર' પણ કહે છે. ત્યાં હનુમાનજીનું મંદિર છે. અહિંથી જટાશંકર મહાદેવની જગ્યા તરફ ઉતરાય છે અને ત્યાંથી ગિરનારની પશ્ચિમ તળેટીમાં જવાય છે. એવી પ્રબળ માન્યતા છે કે ગિરનાર ઉપર, પશ્ચિમ તરફથી ચડવાનો મૂળ માર્ગ આ હતો અને હનુમાન દ્વાર આગળ તેનું પ્રવેશ દ્વાર હતું. રાજા કુમારપાળના સમયમાં જેન મંદિરમાં સીધા જવાય તે માટે પશ્ચિમના (વર્તમાન) માને સવિશેષ અગત્ય મળતાં હનુમાન દ્વારને માગ બંધ પડશે. આજે આ માગને ગેબી રસ્તો પણ કહેવામાં આવે છે.
અહિં હનુમાનજીના મુખમાંથી પાણીને પ્રવાહ વહે છે તેથી તેનું નામ હનુમાન ધારા થઈ ગયું છે. સીતા મહી
અહિં એક દહેરીમાં સતી સીતાજીનાં ચરણે છે. સાચા કાકા
હનુમાનધારાથી પુનઃ સેવાદાસની જગ્યા, ગૌમુખી ગંગા પાછા આવ્યા પછી અંબાજીની કે જવાને માર્ગ શરૂ થાય છે. આ જગ્યામાં સત્યનારાયણનું મંદિર છે તેથી લેકેએ પ્રેમથી તેનું નામ સાચા કાકા આપ્યું છે. સત્યનારાયણનાં મંદિર સામે શ્રી દત્ત પ્રભુનું મંદિર પણ છે. અહિં કાલિકા માતાની પણ મૂર્તિ પ્રતિષ્ઠિત છે , શેષશાયી ભગવાન
ખાડાના દેરાસરનાં પાસે શેષશાયી ભગવાનનું મંદિર છે. ત્યાં માતાજીની પણ પ્રતિમા છે. આ જગ્યા સેવાદાસની જગ્યા નીચે છે. અંબાજી
ઉપર ચડતાં અંબાજીનું પ્રસિધ, પુરાતન અને પવિત્ર મંદિર આવે છે. અહિં માતાજીનું મુખાવિક છે. પુરાતત્વવિદો માને છે કે આ મંદિર ગુપ્ત કાલમાં બંધાયેલું છે.
1 એજન,