SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનાર ઃ ૪૧૫ ૌરવજપ ' સેવાદાસજીની જગ્યા પાછળ પશ્ચિમ દિશામાં નીચેની ખીણ ઉપર ઝુક્તિ ભૈરવજપને ખડક છે. તેના ઉપર ભૈરવનું સ્થાન છે. આ વિકરાળ અને વિકટ ખડક ભૈરવજપ નામથી જાણીતા છે. પૂર્વે એવી માન્યતા પ્રચલિત હતી કે તેના ઉપર ચડી નીચે પડતું મૂકી મૃત્યુને ભેટે તે બીજે ભવ રાજપતિ થાય. આ એક આત્મઘાતને બનાવ ઈ. સ. ૧૮૭માં બનતાં જૂનાગઢ રાજ્યે ત્યાં આવા કાર્ય માટે કઈ જાય નહિ તેનો પ્રબંધ કર્યો અને વિ. સં. ૧૯૨૮ના, માગસર વદી રની તિથિની એક જાહેરાત રાજ્ય ગેઝેટમાં પ્રસિદ્ધ કરી કે આ માન્યતા ખોટી છે અને ધાર્મિક દષ્ટિએ પણ તેમ કરવું બરાબર નથી. વૈરવજપ ઉપર જવું અને પડવું એટલું વિષમ છે કે આજે પણ કોઈ કઠિન અને અસંભવ કામ કરવાનું હોય તે કહેવત છે કે “આ તે ભૈરવજપ ખાવા જેવું છે.' શેષાવન ભૈરવજપ પાસેથી આગળ વધતા ભાંગેલાં તૂટેલાં પગથિયાં ઉપરના ગિરનારના જૂના માર્ગે આગળ જતાં ત્યાં શેષાવનનું રમણીય સ્થાન આવે છે. અહિં સતી સીતાજીનું મંદિર છે તથા સાધુઓને રહેવાના ઓરડાઓ છે. આ જગ્યામાં ખાખી સાધુઓ રહે છે." ભરતવન ત્યાંથી આગળ ચાલતાં ભરતવનનું અતિ રમણીય સ્થાન આપે છે. આ . શાંત, સુંદર અને મનેરખ્ય સ્થાનમાં શ્રી રામ તથા ભારતમાં મંદિરે છે અને મહંત શ્રી નરસિંહદાસજીના પ્રયત્નોથી બંધાયેલી ધર્મશાળા અને આશ્રમનાં મકાને છે. અહિંથી ડેરવાણુના નાકા પાસે જતા માર્ગ ઉતરે છે. ગિરનારને આ મૂળ મા હતા અને સવિશેષ અવર જવર આ માગે થતી. યુધ્ધ કાળમાં શત્રુઓ પણ આ માર્ગે જ ચડી આવતા અને જે પશ્ચિમ તરફથી આક્રમણ થયું હોય તે ગિરવાસીઓ અહિંથી નીચે ઉતરી જતાં. અહિં સોપાન માગ હતા જે હવે અમુક ભાગમાં જ રહ્યો છે. બીજે સર્વથા નષ્ટ થયો છે.” - - - - - - - - - - - - - ? 1 અહિં તા. ૧૨-૪-૧૯૮૪ના રોજ નેમિનાથ પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા થઈ 2 જુઓ આ પ્રકરણમાં “સોપાન માર્ગ પાનું ૩૯૯
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy