________________
૪૪ જગઢ અને રિનાર સિદ્ધિ અને તપશ્ચર્યાનું પરિણામ લેવાનું માનવામાં આવે છે. પથ્થર ચટ્ટી
ત્યાંથી આગળ વધતાં રામાનુજ સંપ્રદાયનું મંદિર છે. ઈ. સ ૧૮૮૬ના જલાઈ માસની દશમી તારીખે તે સ્થળે પથ્થરોને પ્રપાત થતાં તેમાં મહંતશ્રી નરસિંહપ્રપન્નછ તથા અન્ય માણસો દટાઈ ગયા. આ પ્રસંગે સેવાદાસજીની જગ્યામાં રહેતા તેના શિષ્ય સંતદાસજી દેડીને બચાવવા ગયા પણ તે પૂર્વે તેઓ નિપ્રાણ થઈ ગયા હતા. આ અકસ્માત પછી આ મંદિર પુનઃ બંધાયું અહિં શ્રી બાલાજી ભગવાનનું તથા ભૂતપૂર્વ આચાર્યોની પ્રતિમાઓ છે. સેવાદાસજીની જગ્યા
ગૌમુખીથી આગળ ચાલતાં સેવાદાસની જગ્યાના નામથી પ્રસિદ્ધ થયેલી જગ્યા છે. આ જગ્યા બાંધનાર મહંતશ્રી સેવાદાસજી સીમલા પાસે આવેલા સબાહુ કે સપાટુ ગામના રઘુવંશીય ક્ષત્રિય રામસિંહના પુત્ર હતા. તેમને જન્મ ઈ. સ. ૧૭૮૪માં થયેલો. તેઓ માત્ર તેર વર્ષની વયે ગૃહત્યાગ કરી સાધુ થઈ ગયા. ઈ. સ. ૧૮૨૪માં તેઓ ગિરનારમાં આવ્યા અને જુદે જુદે સ્થળે આસન રાખી અતે ગૌમુખી પાસે જાંબુડાની કે જાંબુવાનની ગુફામાં રહ્યા અને ત્યાંથી ભૈરવજપ પાસે પિતાની જગ્યા બાંધી આ મહાત્માના ચમત્કારની અનેક વાતે પ્રચલિત છે. તેઓ ઈ. સ. ૧૮૮૩ના ડીસેમ્બરની પાંચમી તારીખે સાતવાસી થયા.' '
છો સેવાદાસજી મિષ્ટભાષી, નિરાભિમાની અને તપસ્વી પુરુષ હતા. તેમ અંગ્રેજ પ્રવાસીઓએ તેમના લેખમાં નેપ્યું છે.'
સેવાદાસની જગ્યામાં જૂનાગઢના સ્વ. જાદવરાય હરિશંકર વસાવડાએ ધર્મશાળા બંધાવી છે.
1 સૌરાષ્ટ્ર દર્પણ-જુલાઈ ૧૮૮૬ 2 સૌરાષ્ટ્ર દર્પણ-જાન્યુઆરી ૧૮૮૪ 3 બ્લેક વડ મેગેઝીન-ઈ. સ. ૧૮૩ અનામી અંગ્રેજ લેખને હોખ, .
કલો રીવ્યુ ઈ. સ. ૧૮૭૭માં લેખ, સૌરાષ્ટ્ર એન્ડ હીલ ઓફ સેકનોખક સી. એમ. એન્ટીકવીટિઝ ઓફ કચ્છ એન્ડ કાઠિયાવાડ એકટ્રેકટસ ઇ. સ. ૧૮૬-જે. બરસ,