________________
ગિરનાર : ૪૧૩ હતા. ભીમે અહિં પર્વતના પાષાણમાં પ્રહાર કરી આ કુંડ ઉત્પન્ન કર્યો હતે. આ પ્રશ્ન જેને તથા હિન્દુઓ વચ્ચે વિવાદ પણ થયેલ." સાતપુડા
ત્યાંથી સાતપુડાની ગુફાઓ તરફ જવાય છે. ત્યાં જૂનાગઢના ભૂતપૂર્વ દીવન ર. બ. બહેચરદાસ વિહારીદાસ દેશાઈએ કુંડ બંધાવ્યું છે. . જટારાં કરી ધર્મશાળા
ગિરનાર ઉપર રાતવાસે કરવા માટે જેનેની ધર્મશાળાઓ છે. પણ જૈનેતર માટે અપૂર્ણ સુવિધા હેવાથી, ગીતા મંદિર તથ જટાશંકર મહાદેવવાળા પૂ. બ્રહ્મચારી શ્રી રામાનંદજી મહારાજે, અપારશ્રમ અને પુરુષાર્થ કરી આ સુંદર ધર્મશાળા ઈ. સ. ૧૯૩૪-૩૫માં બંધાવી છે. ગૌમુખી ગંગા
ત્યાંથી પાન માર્ગે ચડી ડાબી બાજુએ વળતાં, ગૌમુખી ગંગાનું સુંદર, પવિત્ર અને પુરાતન સ્થાન આવે છે. ગિરનાર મહાત્મ્ય અનુસાર નાગરાજના કહેવાથી ગંગાજી અહિ પાતાળમાંથી આવ્યાં છે અને તેની સ્થાપના નારદજીને હાથે થઈ છે. ગંગાના પ્રવાહ આગળ એક ગૌમુખ છે તેમાથી અવિરત જલ ધારા વહે છે તેથી આ જગ્યા ગૌમુખી ગંગા કહેવાય છે. અહિં એક સ્વચ્છ પાણીને શું છે અને તેની બાજુમાં ગંગેશ્વર મહાદેવ, બટુક ભૈરવ, નીલકંઠ મહાદેવ અને અન્નપૂર્ણાનાં મંદિરે છે. તે ઉપરાંત ગૌશાળા, નાને કંઇ તથા પાણીને ઢાંકે છે. જૂનાગઢના સ્વ. શ્રી ગિરધરલાલ માધવલાલ ધોળકિયા દ્વારા બંધાયેલી ધર્મશાળા તથા સ્વ. ડે. માણેકલાલ ધેડાએ બંધાવેલે એક એરડે યાત્રિક્રેને સુવિધા પૂરી પાડે છે.
ગૌમુખી ગંગામાં ભૈરવાનંદજી નામના પ્રસિદ્ધ મહેત થતાં વર્ષો પૂર્વે થઈ ગયા. તેઓ પ્રખર ગી હતા. વર્તમાન સ્થાનને વિકાસ તેની યોગ
1 ગિરનાર ઉપરનાં જૈનેનાં અને હિંદુઓનાં કેટલાંક થાને પસંવેના હકકો બાબતમાં
ભૂતકાળમાં વાદવિવાદ થયા છે તે પ્રમાણે વેતાંબર અને દિગંબર જૈન વચ્ચે પણ વાંધાઓ ઉપસ્થિત થયા છે. આ પુસ્તકમાં આવા હકકો કે અધિકારની ચર્ચા કરવાનું અનાવશ્યક અને અનુચિત છે. કાયદાના, હકના અને ઉપભોગના પ્રશ્નો સાથે આ પુસ્તકના વિષયને કાંઈ સંબંધ નથી, પુસ્તકો અને મળેલી માહિતી ઉપરથી વર્ણનાત્મક વિગતે લેવામાં આવી છે. ભવિષ્યમાં આવા કોઈ વાદવિવાદ ઉપસ્થિત થાય તે આ પુસ્તકનાં કોઈ વિધાનને કે માહિતીને પ્રમાણભૂત ન ગણવા વિનંતી છે. લેખક