SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ : જુનાગઢ અને ગિરનાર રાજુલની ગુફા છે, તેમાં તેની ઊભેલી પ્રતિમા છે. તેની બાજુમાં રહેનેમિની લઘુ *દની પ્રતિમા છે. રાજુલ કે વૈજલવા વિંજુલની ગુફાની પૂર્વીમાં એક ખડક ઉપર વિ. સ. ૧૨૮૯ ના આસે વદી અમાસ અને સામવારના એક શિલાલેખ છે. તે પ્રમાણે વસ્તુપાલે પશ્ચિમમાં કપદી યક્ષનું અને શ્રી આદિનાથજીનું એમ બે મદિરા આત્મશ્રેયાર્થ અને સુવણ શિખરવાળું, વીશ જીનાથી શેાભીતુ મદિર પોતાની સહધમ ચારિણી લલિતાદેવીના તથા ચેાથુ મંદિર ખીજી પત્ની સાખુકા દેવીના શ્રેયાથે બંધાવ્યાં હતાં, 1 દિગબરી મદિરા મૂર્તિ પૂજક શ્વેતાંબરાનાં દેિશ પૂરાં થયા પછી ગભરાનાં દેરાસર આવે છે. દિગંબરાને હુમડ પણ કહેવામાં આવે છે. આ સ્થળે બે દેરાસરો છે તેમાં મોટા દેરાસરમાં મૂલ નાયક શ્રી નેમિનાથજી છે તથા ૧૧ જુદાં જુદાં બિખા છે. નાના દેરાસરમાં પશુ શ્રી નેમિનાથજીની પ્રતિમા છે, તેની ઉભય પક્ષે શ્રી પાર્શ્વનાથજી છે. તેની પ્રતિષ્ઠા વિ. સ. ૧૭૪૫ માં ભટ્ટારક જીવરાજજી એ કરી હાવાના લેખ પણ છે. તેની પાસે શ્રી શીતળનાથજીનું હેરૂ છે. હુમઢના વડામાં એક ચેારસ બેઠક છે. તેમાં સિંહ સંવત ૫૮ (ઈ. સ. ૧૧૭૨)ના એક લેખ છે. તેમાં લખ્યુ છે કે સવત ૫૮ ચૈત્ર વદી ખીજ સેમવાર, ધારાગજમાં નમિચંદના શિષ્ય પંચાણુચંદની મૂતિ 22 ભીમકુંડ અહિ એક ભીમકુ’ડ નામના કુંડ છે. જૈના કહે છે કે જયારે સાજણે, સેારડની એક વર્ષની ઉપજ દેરાસર બાંધવા અને ખીજાના જીર્ણોધ્ધાર કરવા વાપરી નાખી અને સિધ્ધરાજે તે પાછી માગી ત્યારે થાણાદેવળીના ભીમા કુંડળીયા નાંમના શ્રાવકે તે રકમ ભરી આપવા તત્પરતા બતાવી. સિધ્ધરાજે જ્યારે આ રકમ ન લેતાં ધર્માંકાનું પુણ્ય લીધું ત્યારે ભીમાએ આ રકમ ગિરનાર ઉપર વાપરી તેમાં આ કુંડ કરાવ્યા તેથી ભીમકુંડ કહેવાય છે. હિન્દુઓ એમ માને છે કે પ્રભાસખઢના ગિરનાર માત્મ્યમાં દર્શાવ્યા પ્રમાણે અ‘િ ભીમનાથ મહાદેવનું મંદિર તથા સિધ્ધનાંથની પાદુકા હતી અને ત્યાં ભીમકુંડ 1 હીસ્ટારિકલ ઇન્સ્કીપ્શન એફ ગુજરાત વે। ૐ શ્રી ગિ, વ, આચાર્ય, 2 એજન.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy