________________
ગિરનાર ઃ ૪૧૧
ઉોખ છે. આ સ્થળે ઉખનન કરતાં એક ધાતુનું પરિકર નીકળ્યું છે. તેના ઉપર પણ વિ. સં. ૧૫૨૩માં શ્રી રત્નસિંહ સૂરી અને ભટ્ટાર ઉદયવલ્લભ સૂરીના ઉપદેશથી સંઘે આ પરિકર બનાવ્યું અને તે સમયે પ્રતિષ્ઠા શ્રી જ્ઞાનસાગરસુરીએ કરાવી લેવાને ઉલ્લેખ છે.* શ્રી ચંદ્રપ્રભ પ્રભુ .
કુમારપાળની ટૂંક પાસેથી શ્રી ચંદ્રપ્રભ પ્રભુના દહેરામાં જવાય છે. તેના મલ નાયક પણ તે જ છે. આ પ્રતિમા વિ. સં. ૧૭૦૧માં પ્રતિષ્ઠિત કરી હેવાને ત્યાં લેખ છે. તેની સામે કોઈ દેવીની મૂર્તિ છે. હાથી કુડ
અહિં હાથી પગલાંના નવા જૂના કુંડે છે. જૂના કુંડમાં હસ્તીપાદ છે. કુંડની ફરતી દીવાલ બાંધી તેમાં અંબિકાની અને અન્ય મૂર્તિઓ મૂકયાને ઉલ્લેખ વિ. સં. ૧૨ાપના શિલાલેખમાં છે. નવોડ શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીએ બંધાવ્યો છે.
જૈનોના ગિરનાર મહાત્મ અનુસાર ભરત ચક્રવતી, ગિરનાર ઉપર આવેલા ત્યારે ઈદ્ર પણ આવ્યા હતા. તેના ઐરાવત હાથીનું પગલું અહિં પડતાં તે ગજકુંડ કહેવાય. આ કુંડ નાગેન્દ્ર તથા ચમરે કરાવ્યો છે. -
એવી પણ માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી અનેક પ્રકારના રેગે નષ્ટ થાય છે. આ સ્થાનમાં એક નાગી બાવી રહેતી. કેટ બહારનાં જન મંદિર
વસ્તુપાલની ટૂંક પૂરી થતાં જ કેટ પણ પૂરે થાય છે. ત્યાં કિલ્લાની મજબૂત દીવાલના અવશેષો છે. ત્યાંથી આગળ ચડતાં શ્રી શાંતિનાથજીનું દેવાલય આવે છે તેને લેકે ખાડાનું દેરાસર કહે છે. તેમાં નવ પ્રતિમાજીઓ છે. ત્યાં જવાના સોપાનેની બીજી બાજુએ મલનું કહેવું છે, તેમાં શ્રી શાંતિનાથજીની પ્રતિમા છે. રાજુલ ગુફા
આ દહેરા પાસેથી નીચે ઉતરતાં શ્રી નેમિનાથનાં પત્ની રામતી કે
1 ગિરનાર મહાભ્યશ્રી દે. પુ. બોડીયા, 2 એજન. 3 એજન.