________________
ગિરનાર ગુરુદત્તના શિખરે જવાય છે. ત્યાં ગુરુ દત્તાત્રેયનું નાનું પણ સુંદર સ્થાન છે. અન્ય પ્રચલિત વાર્તાઓથી જુદા સ્વરૂપની દત્ત જન્મની વાર્તા પ્રભાસખંડનું ગિરનાર મહાઓ આપે છે. તે પ્રમાણે અત્રિ ઋષિએ બાર હજાર વર્ષ તપશ્ચર્યા કરી દેવ પાસેથી પુત્ર જન્મનું વેર માંગતાં ગુરુ દત્તાત્રય તેને ત્યાં અવતર્યા.
નાથ સંપ્રદાયના આદિ ગુરુઓના પણ ગુરુ દત્ત ગુરુ છે. અહિં પ્રતિ પૂર્ણિમાને દિવસે અનેક ભક્તો દર્શને આવે છે.'
આ ટેકરીમાં પશ્ચિમ તરફ શ્રી આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમા પણ પ્રતિષ્ઠિત છે." ગબર - અહિંથી ગબરના પર્વતમાં જવાય છે. તેને ગધેસિંડને ડુંગર પણ કહે છે. અહિંથી ગધેમાં નામના સિક્કાઓ મળતા. સાધુઓ માને છે કે આ પર્વતમાં આજ પણ નિઃશરીર યોગીઓ વસે છે. અન્ય સ્થાને
ગિરનાર પર્વતની તળેટીમાં કેટલાંક રમ્ય અને પવિત્ર સ્થાને આવેલાં છે, જે પૈકીનાં નીચેનાં મુખ્ય છે. બોરદેવી
ગિરનારની તળેટીમાં બેરીયા ગળા નામે ઓળખાતી જગ્યા પાસે આ સુંદર સ્થાન છે. ત્યાં બેરડીનું ઝાડ હતું તે માટે તે બેરદેવી કહેવાય છે તેવી પ્રયલિત માન્યતા છે. ત્યાં બેરદેવીનું મંદિર છે તથા લાખા મેડી નામનું જૂનું ખંડીયેર છે. અહિંથી કેટલાક અવશેષો મળી આવ્યા છે, તેમાં એક સ્તૂપ છે, જેની પાસેથી એક માટીના પાત્રમાં ત્રાંબાનું પાત્ર, તેમાં ચાંદીનું પાત્ર અને તેમાંથી સોનાની એક ડબી પણ મળી છે. મળી આવેલી એક મુદ્રામાં “મહારાજા રૂદ્રસેન વિહારે ભિક્ષ સંઘસ્ય’ શબ્દ લખેલા છે. * *
ઈટવા
મિરનારની તળેટીમાં ઈવા નામના સ્થળે ઈ. સ. ૧૯૪૯માં ઉખનન
1 ધર્મ સ્થાનોની માલીકી, ઉપયોગ કે હક અધિકાર વિષયમાં આગળના પાનાંઓની
ફૂટનોટમાં જણાવ્યા પ્રમાણે આ પ્રકારના હક અધિકારના વાદવિવાદ માટે આ
પુસ્તકને આધાર લેવો નહિ. –લેખક.' 2 વિગતો માટે જુઓ પ્રકરણ ૨જુ પા, ૫૪