________________
ગિરનાર : ૪૯
ની બન્ને બાજુએ વિ. સં. ૧૨૫૬ના જયેષ્ટ સુદી ૧૩ને એક લેખ છે, તેમાં જણાવ્યા પ્રમાણે કુમારપાળના દંડનાયકનો પુત્ર અભયદ હતું. તેને પુત્ર વસંતપાળ હતું. તેણે તેના માતા પિતાના કોયાથે ઉજજયન્ત ઉપર નંદીશ્વરની મૂર્તિ પધરાવી તેની પ્રતિષ્ઠા શ્રી. દેવેન્દ્રસરીને હાથે કરાવી હતી.' વસ્તુપાલ-તેજપાલનાં મંદિર
- ઈસુની તેરમી સદીમાં ગુજરાતના રાજાના મંત્રીશ્વરે વસ્તુપાલ તથા તેજપાલે ઈ સ. ૧ થી ઈસ. ૧ર૪રની વચ્ચે ગિરનાર ઉપર મંદિર બંધાવ્યાં છે. અહિ ત્રણ દેરાસરો છે. તેના મૂળ નાયક શ્રી પાર્શ્વનાથજી છે. આ બિબ શ્યામ આરસનું છે તેથી તે શામળા પાર્શ્વનાથજી પણ કહેવાય છે. મંદિરને રંગમંડપ પ૩ ફીટ x ર૦ ફીટ છે. કેટલાક વિદ્વાને આ પ્રતિમા ઓગણીસમા તીર્થંકર મલ્લીનાથની હેવાનું માને છે.
શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાના આસન નીચે વિ. સં. ૧૩૦૫ના વૈશાખ સુદી ૭ શનિવારને એક લેખ છે. તે પ્રમાણે આ પ્રતિમા પાટણ નિવાસી ઠક્કુર વાહડ અને મહામંત્રી સલખણસિંહે પિતાના માતાપિતાના શ્રેયાર્થે પ્રતિષ્ઠિત કરી હતી. વાહડ અને સલખણુસહ, મંત્રી ઉદાના પુત્રો હતા.
આ મંદિરમાં છ શિલાલેખો વિ. સં. ૧૨૮૮ના ફાગણ સુદી ૧૦ અને બુધવારના છે. તે પૈકીના ચાર શિલાલેખમાં વસ્તુપાલે ઉજજયંત પર્વત ઉપર અછતનાથજી આદિ મંદિરે તેની પત્ની લલીતાદેવીના શ્રેયાર્થે બંધાવ્યા અને બે મંદિરે બીજી પત્ની સોબુકાદેવીના શ્રેયાર્થે બંધાવ્યાનો ઉલ્લેખ છે. સાતમે શિલાલેખ વિ. સં. ૧૨૯૯ના ફાગણ સુદી છે. તેમાં ઉજજયંતમાં શ્રી નેમિનાથજીનું બિંબ, શેત્રુંજયમાં શ્રી આદીનાથજીનું બિંબ, અને અન્ય તીર્થોમાં જુદા જુદા તીર્થકરોનાં બિબે કરાવ્યાને ઉલ્લેખ છે.*
1 હીસ્ટોરિકલ ઈન્સીપાન્સ ઓફ ગુજરાત પુ. ૩ જું–શ્રી. ગિ. વ. આચાર્ય. શ્રી.
આચાર્ય આ તિથિ માટે શંકા કરે છે. 2 ગુજરાતી સાહિત્ય પરિષદ - સ્મારિકા-૧૯૬લ્માં લેખ. જનાગઢ જિલ્લાના ઐતિહાસિક
સ્થળ. શ્રી પુષ્પકાંત ધોળકીયા. 3 હીસ્ટરીક્લ ઈસ્કીપશન્સ ઓફ ગુજરાત પુ. ૨ જે શ્રી. ગિ. વ. આચાર્ય. 4 હીસ્ટોરિકલ ઇસ્ક્રીન્સ ઓફ ગુજરાત પુ. ૨. શ્રી. ગિ. વ. આચાર્ય. ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ શિલાલેખો. શ્રી. છે. મ. અત્રિ-સ્વાધ્યાય, વસંતપંચમી
અંકે ઈ. સ. ૧૯૬૮ જ. ગિ.-પર