SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ : જૂનાગઢ અને ગિરનાર માનસંગ જરાજની ટૂંક - શ્રી નેમિનાથજીના દેરાસરના દ્વાર સામે કચ્છ માંડવીના વિશા ઓસવાળ શા. માનસંગે બંધાવેલાં અને પાછળથી સુધારેલાં કે વધારેલાં આ દેરાસરના મૂલ નાયક શ્રી સંભવનાથ છે. - આ ટૂંક પાસે સૂર્યકુંડ નામને કુંડ છે. ત્યાં જૂનું સૂર્ય મંદિર હતું એમ કહેવાય છે. અહિં જૂનાગઢના રાહના સમયના મહેલોના અવશેષે પણ જેવામાં આવે છે. રાણકદેવીને મહેલ તારીખે સેરમાં જણાવ્યું છે કે અર્ડિ રાહ ખેંગારે પાકા પથ્થરને કિલ્લે બનાવ્યો છે. આ મહેલને લેકે રાણકદેવીને મહેલ તરીકે ઓળખે છે. સંપ્રતિ રાજાનું મંદિર તે આ મહેલને એક ભાગમાં છે તેમ પુરાતત્ત્વવિદ્દો માને છે. કુમારપાળની ટૂંક - ગુજરાતના રાજા કુમારપાળે વિ. સ. ૧૯૭થી વિ સં. ૧૧૧૮ની વચમાં તેના શાસન કાળમાં આ દેરાસર બંધાવ્યું હોવાનું કહેવાય છે. તેના મૂલ નાયક, ચોથા તીર્થકર અભિનંદન છે. વિ. સં. ૧૮૭૫ના વૈશાખ સુદી ૭ અને શનિવારે શા. અણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શ્રી અભિનંદન બિંબ કરાવ્યાને તથા શ્રી વિજય જિનેન્દ્રસૂરીના હાથે માંગરોળના શા. નાનજી કરશે પ્રતિષ્ઠા કરાવ્યાને એક લેખ પણ છે. વિ. સં. ૧૮૮૧ વૈશાખ સુદી ૭ સોમવારને એક બીજો લેખ છે તેમાં મંગ હંસરાજ જેઠા બખાઈએ બિંબ પ્રવેશ કરાવ્યાને તથા પંડિત રાજસાગરજીએ પરિવા સ્થાપ્યાને ઉલ્લેખ છે. અહિં એક વાવ છે જે દેડકી વાવ કહેવાય છે. નંદીશ્વર સગરામ નીના મંદિરથી વાયવ્યમાં નદીશ્વરની મૂર્તિ છે. તેના ગોખલા 1 ગિરનાર ઉપરનાં ધર્મસ્થાનોની માલીકી કે કન્ના ભગવટાની તકરારમાં આ પુસ્તકને પ્રમાણભૂત ગણવાનું નથી. મળેલી માહિતી અને જુદા જુદા ગ્રંથમાંથી કરેલા તારણ ઉપરથી આ વિગતે લેવામાં આવી છે. ગિરનારનાં મંદિર ઉપરના કાયદેસરના હકકો કે વાદવિવાદ સાથે લેખકને સંબંધ નથી. લેખક
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy