________________
૪૦ : જૂનાગઢ અને ગિરનાર
સંભવ નથી. આ લેખક કમભાગ્યે ગિરિનગર, ખરેખર કયાં વસતું તે કહેતા નથી પરંતુ તેણે આપેલું વર્ણન સ્પષ્ટ કહી જાય છે કે ગિરિનગર ગિરનારની સમીપે જ તળેટીમાં વસતું ન હતું.
ઈટવા અને બેરદેવી નામનાં તળેટીમાં આવેલાં સ્થાનમાં ઉખનન કરતાં રૂદ્રદામાના સમયની મુદ્રા આદિ કેટલીક વસ્તુઓ પ્રાપ્ત થઈ છે તથા ત્યાં વિહાર અને સભામંડપ વગેરેના પાયા નીકળ્યા છે. હ્યુએનસાંગ પણ કહે છે કે ત્યાં બૌદ્ધ મઠ હતે. ઉપરકેટમાં અને તેની આસપાસ બૌદ્ધ ગુફાઓ છે. તથા સુદર્શન તળાવનું સ્થાન નિશ્ચિત સ્વરૂપે દષ્ટિગોચર છે તે બધાં પ્રમાણ એકસાથે વિચારી પુરાતત્ત્વવિદ શ્રી છે. મ. અત્રિ એવા નિર્ણય ઉપર ઉપર આવ્યા છે કે ઈટવાના વિવારે ગિરિનગરની પૂર્વોત્તર સીમાએ હશે, તેની પૂર્વ ગિરનાર અને પશ્ચિમે સુદર્શન તળાવ હશે. આ અનુમાન પણ પુનવિચારણા માગી લે છે. જે સુદર્શન તળાવ, અશોકના લેખની ઉત્તરે હેય અને તેને એક છેડો ત્રિવેણી સુધી હોય તે ગિરિનગર સુવર્ણસિકતાને તીરે વસી શકે નહિ. અશોકના લેખ અને સરિતાની વચમાં એક સાંકડો માને છે તે સુદર્શનમાં આવી જતા હોય કે તેને તીરે જતે હોય તે નગર અને પર્વત તેનાથી જુદા પડી જતાં હોય અને પૂર્વકથિત પ્રમાણો વિચારતાં ગિરિનગર, સુદર્શનના બંધથી પશ્ચિમે હોય તે અત્યારે જૂનાગઢ વસે છે ત્યાં જ તે વસતું તે નિર્વિવાદ છે. ઉપરકોટ
દીવાન રણછોડજી તેના પ્રખ્યાત ગ્રંથ વકાઆયે સોરઠ કે જે તારીખે સોરઠના નામથી પ્રસિદ્ધ થયો છે તેમાં લખે છે કે “ખુરાસાનના શાહ કાલયવનની બીકે યાદો સોરઠમાં આવ્યા ત્યારે તેના રાજા ઉગ્રસેને ઉપરકેટ બાં એમ કહેવાય છે.”
- ઈ. સ. ૧૨૩૨ લગભગ લખાયેલા રેવંતગિરિ રાસમાં તેના કર્તા શ્રી વિજયસેનસુરી લખે છે કે તેજપાળે ગિરનારની તળેટીમાં તેજપાલપુર કે તેજલપુર વસાવ્યું તેની પૂર્વે ઉગ્રસેનગઢ નામને દૂર્ગ હતા.
દીવાન રણછોડજીએ તેને ગ્રંથ ઈ.સ. ૧૮૨૦ લગભગ પુરે કર્યો અને ત્યારે ઉપરકેટ, ઉગ્રસેને બંધાવ્યો છે તેવી માન્યતા પ્રચલિત હશે. અને ઉગ્રસેનગઢ કહેવાતો હશે. તેજલપુર ઉગ્રસેનગઢની પશ્ચિમે હતું. કેટલાક વિદ્વાનો
ક્ષપકાલિન ગિરિનગર-વિદ્યાપીઠ માર્ચ એપ્રિલ ૧૯૬૭–ી છે. મ. અત્રી