________________
ગિરનાર : ૩૯૯
સોપાન માર્ગ
ગિરનારના પર્વમાં અપવાદ બાદ કરતાં મંદિર મધ્ય પર્વત ઉપર છે. આ પર્વતને ધર્મગ્રંથોમાં ઉજજયંત કહેવામાં આવ્યું છે. તેના ઉપર જવાને સપન માર્ગ છે.
ગિરનાર ઉપર જવાને માર્ગ પ્રથમ તેની પૂર્વ—ઉત્તર તરફથી હશે એમ જુદા જુદા પ્રમાણેથી જણાય છે. આજે પણ તે તરફ ઉતરવાને એક માગ છે. બીજો ભાગ પણ ભવનાથ તળેટી પાસેથી ઉત્તર તરફ વળી જટાશંકર મહાદેવ પાસેથી, હનુમાન ધારા થઈ પથ્થર ચટ્ટી જાય છે. આ માર્ગો અત્યારે બહુ ઉપગમાં નથી.
એમ પણ જણાય છે કે વર્તમાન માર્ગ, ગિરિનગરનું નિર્માણ થયા પછી પર્વતમાળા કાપી તેમાંથી કાઢવામાં આવ્યો હશે અથવા સરિતાઓને નાથી પડખેથી માર્ગ કાઢવામાં આવ્યું હશે. ' ઉપર કથિત જટાશંકરવાળા માગે આજ પણ ભાંગેલાં તૂટેલાં પગથિયાં દેખાય છે. તેથી તે માગ જૂના સમયમાં ઉપયોગમાં લેવાતા અને અત્યારે જ્યાં પગથિયાં છે તે પાછળથી બંધાયા છે તેમ સ્પષ્ટ જણાય છે.
ગિરનાર ઉપરનો સોપાન માર્ગ પ્રથમ કોણે બાંધ્યો તેનું સ્પષ્ટ પ્રમાણ ઉપલબ્ધ નથી. પરંતુ ઈતિહાસનાં પૃષ્ઠો ઉપર અંકિત થયેલા કેટલાક પ્રસંગે તે માટે થોડી માહિતી પૂરી પાડે છે. '
મેરૂતુંગાચાર્ય રચિત પ્રબંધ ચિંતામણિમાં' કથા છે કે ગુર્જર નરેશ કુમારપાળ ઈ. સ. ૧૫૫ માં જુનાગઢ જીતી યાત્રા ગિરનાર જવા નીકળે ત્યારે ગિરનાર સમીપે જતાં અકાએક ભૂકંપ થયો અને એક અદ્ધર શિલા ધ્રુજી ઊઠી. આ જોઈ હેમચંદ્રાચાર્ય સાથે હતા તેણે કહ્યું કે વૃધો એવી વાત કરતા
(૩૯૮ માં પાનાનું ચાલુ)
આ અધ્યાયમાં બરાઈ, આજકીયા, માધવીયા વગેરે વિભાગોનું પણ વર્ણન છે. આ વિભાગે સં. ૧૬૮૨ પછી પડ્યા હોવાનું પણ કેટલાક વિદ્વાને માને છે. ગિરનાર મહાભ્યના અધ્યાય ૧૦૨માં પણ તે પ્રકારનું વર્ણન છે.
સદીઓથી તીર્થનું રક્ષણ કરી તેની અગત્ય જાળવી રાખનારી આ ઐતિહાસિક જ્ઞાતિમાં અનેક વિદ્વાનો થયા હશે પરંતુ મારા અપાર પરિશ્રમ છતાં મને કોઈ ગિરનારા ભાઈ તરફથી કોઈ માહિતી મળી નથી. હજી પણ એ ફ્રાતિના કોઈ ભાઈ તે માટે
પ્રયત્ન કરે તેમ હું ઇચ્છું છું.–લેખક. 1 પ્રબંધ ચિંતામણિ ભાષાંતર–શ્રી દુ. કે. શાસ્ત્રી