________________
૩૯૮ : જૂનાગઢ અને ગિરનાર
આંબલી, પાટલા, નગડ અને મી ઢળ થાય છે. પ્રાંણા
શુદ્ધા, માધવા અને ચાતુરા બ્રાહ્મણા પૈકી શુદ્ધા ગિરનારમાં રહ્યા તેથી ગિરનારા બ્રહ્મણ કહેવાયા. માધવા માધવપુર ગયા તથા ચાતુરાને, શિવરાત્રિની પૂજા કરી ચંદ્રકેતુ રાજાએ ૧૪ ગામે આપ્યાં.
સ્કંદપુરાણુની ભીન્ન ભીન્ન હસ્તલિખિત પ્રતઃ પ્રાપ્ત થઈ છે તેમાં ગિરિનારા બ્રાહ્મણા માટે કરવામાં આવેલા ઉલ્લેખામાં એકવાકયતા નથી.
વેંકટેશ પ્રેસ દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્કંદપુરાણમાં ગિરનારનું વર્ણન કરી ત્યાં બ્રાહ્મણા હતા તેમ કહેવામાં આવ્યુ છે. શ્રી વકીલ ઈશ્વરજી કચ્છીએ વિ. સ’. ૧૯૪૪માં પ્રસિદ્ધ કરેલા ગિરનાર મહાત્મ્યના ભાષાંતરમાં, ગિરિનારાયણના બ્રાહ્મણાની કોષ્ઠના દીધ પ્રમાણમાં વણવી છે. શ્રી ગેરભાઈ રામજી પાઠકના ભાષાંતરમાં પણ ગિરિનારાયણુ અને બ્રાહ્મણો માટે વિવેચન કરવામાં આવ્યું છે. આ બધા પ્રમાણા વિચારી શ્રી ગિરિનારાયણ જ્ઞાતિની ઉત્પતિ'ના લેખક શ્રી શુકલ જીવરામ દુર્લભજી લખે છે કે, ‘પુરાણમાની કથાને વધારીને વિશેષ મહામ્યવાળી બનાવવાને માટે જ એક શ્લોક પાછળ નવા પાંચ-છ લેાક વધારવા માટે જ તે શ્રમ કાઈએ લીધેલા લાગે છે.’ અર્થાત આ મહાત્મ્ય ક્ષેપક છે તેમ છતાં ગિરનારમાં વસતા બ્રાહ્મણા ગિરિનારાયણુ કહેવાતા તે નિઃશંક છે. શ્રી જીવરામ દુ ભજી શુક્લ, શાસ્ત્રી કાલીદાસ ગાવિ`દજીએ લખેલી રેવાભાઈ ધમ શિક્ષણ માળામાંથી નીચેના એક પુરાવા ઉષ્કૃત કરે છે. ‘જેવા રજપૂતાની રાજધાની ધુમલી જયારે આબાદ હતી ત્યારે તેમાં લખાયેલું વ્રતની કથાનું એક પુસ્તક જામનગરના શાસ્ત્રી કાલીદાસ ગોવિંદજીના ઘરમાં છે. એ કથાના છેલ્લા પાનામાં તથા તેની પાછળ લખેલુ' છે કે 'સ'વત ૧૧૫૧ વર્ષે શ્રાવણ શુદ્ધિ ૨ ભૃત્તિને લખિતંગ માહનજી સુત વલ્લભે ગિરિનારાયણ જ્ઞાતિએ લખતંગ ઠાકર મોહનજી સુત વલ્લભજીએ નાગર શામજીને ઘરે બેઠા લખ્યું છે. શ્રી ધુમલી મધે શ્રી ગણેશ ફલીઆમાં લખું છે !! ૧૫ લખીનગ ગરનારાયણુ જ્ઞાતિય જેસિ દિવેચા માધવજી કાનજીના છ વાંચે તેને પ્રણામ છે રહે છે હાથી ચકલામાં સવંત ૧૧૫૨ના શ્રી ગણેશાય નમઃ'T
1 સ્કંદપુરાણના આદિત્યખડમાં ‘શ્રી દામાદર મહાત્મ્ય નિરૂપણના પ્રસ’ગમાં અધ્યાય ૩૨ થી અધ્યાય ૩પમાં ગિરિનારા બ્રાહ્મણ જ્ઞાતિની ઉત્પતિ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યે છે. (વધુ માટે જુએ પાનું ૩૯૯)