________________
ગિરનાર ઃ ૩૯૭ વસ્ત્રાપથ ક્ષેત્રના વાયુકેમાં એક દિવ્ય સરોવર છે. પશ્ચિમ દિશામાં બિલ્વપત્રની ઝાડીમાં એક શંકરનું મંદિર છે. ભવનાથના નૈઋત્ય કોણમાં હેરંબ નામના ગણપતિ છે અને યમરાજાનાં સ્થાપેલાં બેરદેવીનું સ્થાન છે. વસ્ત્રાપથની દક્ષિણ દિશામાં બિલ્વેશ્વર મહાદેવ અને બિલ્વમંગા છે. તેના પૂર્વ ભાગમાં રૂદ્રગંગા નામની નદી, પોટેશ્વર મહાદેવ અને સૂર્યકુંડ છે. ઉત્તર ભાગમાં રામગંગા તથા હનુમાન ધારા છે તથા ચિત્રગુપ્તશ્વર મહાદેવ છે” ગિરનાર
ગિરનાર ચડતાં પ્રથમ પંચેશ્વર આવે છે. ત્યાંથી મણિકુંડ. ગજપાલ તથા રસકૂપ આવે છે. આગળ ચાલતાં ભીમકુંડ તથા ભીમેશ્વર મહાદેવ છે. આગળ ગૌમુખી ગંગા તથા ગંગર મહાદેવ છે. ત્યાં સુરા નામે બટુક ભૈરવ છે તથા તેની પાસે જ રામાનંદ અને કાળ ભૈરવ પણ છે. ઉપરના શિખરે અંબાજી છે. ત્યાંથી આગળ ચાલતાં કમંડલુ નામે તીર્થ છે અને દતાત્રયનું સ્થાન છે. ત્યાંથી આગળ ચાલતાં કાલિકાનું શિખર છે. શિખરે
પ્રભાસખંડના ત્રીજા ભાગમાં પ્રત્યેક સ્થાનના મહામની વાર્તાઓ છે. તે ઉપરાંત તેમાં કેટલીક ઉગયેગી માહિતી પણ આપવામાં આવી છે. તેના પ્રમાણે ગિરનારના મુખ્ય ત્રણ પર્વતે, રેવત, ઉજજયંત અને કુમુદ ઉપરાંત મંગળ, વીરભદ્ર વગેરે ઉપપર્વ તે પણ છે. આ પુરાણ પ્રમાણે પ્રત્યેક પર્વતનાં જુદાં જુદાં શૃંગાના જુદાં જુદાં નામો પણ હતાં. કુમુદનાં ઈંગ–સિંહ, વિજય, કમલ, ત્રિલેચન, અશ્વત્થાત્મા, કુબેર
અને મહામોદ. વતનાં અંગે–આનંદ, કાલઘ, સનક, વૃષ, નીલ, કુંભ, ગૌતમ,
કૃષ્ણ, રૂદ, કુંજર અને કાલમેઘ. ઉજજયંતનાં જંગે–ભૈરવ, ગજપદ, રામાનંદ, ગંગાખ્ય, સુ ખ,
અંબિકા, ગૌતમાખ્ય, ગુરૂશિખર, કાલિકા,
અરાખ્યા અને શ્રીચક. વૃક્ષો
પુરાણકાર કહે છે કે ગિરનારના વનમાં ખાખરા, પીપળા, લીમડા, વાર, સમી, કદંબ, બીજોરાં દાડમ, બેરડી, સેમળા, જાંબુ, ખેર, આ કેલ, પનસ, સરખડા, ખજૂર, મહુડા, ટીંબરવા, લેધર, હરડાં, બેડાં, આંબળા, અરીઠા,