________________
૪૦ : જૂનાગઢ અને ગિરનાર
કે જે કઈ બે પુણ્યશાળી પુરુષો સાથે મળી અહિં આવે તે આ અધ્ધર શિલા તેની ઉપર પડે અને તે વાત સાચી પડે તે આપણે બને માર્યા જઈએ, માટે આપણે જુદા પડી જઈએ અને આપ ઉપર જાઓ. કુમારપાળે આગ્રહ કરી : હેમચંદ્રાચાર્યને ઉપર મોકલ્યા અને પોતે અદ્ધ શિલાને માર્ગ છે ડી જૂના કિલાની બાજુમાં બીજે ઠેકાણે નવાં પગથિયા બાંધવા માટે શ્રી વાભદેવને આજ્ઞા કરી. તેણે બન્ને બાજુએ ૬૩ લાખને ખર્ચ કરી પગથિયાં કરાવ્યાં
આ કથા પ્રભાવક ચરિત્રમાં પણ છે. પરંતુ સેમ પ્રભાચાર્ય વિરચિત કુમારપાલ પ્રતિબોધમાં, જયસિંહસરીના “કુમારપાલ ચરિત'માં અને જિનમંડન ગણિના કુમારપાલ પ્રબંધ'માં, આ સંપાન માર્ગ સુરાષ્ટ્રના અધિકારી રાણીગના પુત્ર આકે આમડે બંધાવ્યો હોવાનું લખ્યું છે. આ કથનને કબૂતરી ખાણને વિ. સ. ૧રરરને શિલાલેખ પુષ્ટી આપે છે. આ ગ્રંથમાં કરેલા કથનાનુસાર કુમારપાળના સમયમાં આ કાર્ય થયું પરંતુ કુમારપાળ પ્રતિબંધ વિશેષમાં ઉમેરે છે કે, જ્યારે ગિરનાર પર્વત ઉપર રાજ ચડી શકો નહિ ત્યારે તેણે સોપાન માર્ગ બાંધવા શ્રીપાલના પુત્ર સિદ્ધપલની સુચનાથી આમ્રને આજ્ઞા કરી.
રાજા કુમારપાળ ઈસ. ૧૧૪૬માં ગુજરી ગયો જ્યારે આ પગથિયાં શિલાલેખ પ્રમાણે ઇ. સ. ૧૧૬૬માં બંધાયાં છે. આ શિલાલેખ સિવાય વિ. સ ૧૨૫૩ના એક બીજા શિલાલેખમાં પણ તેનો ઉલ્લેખ છે. આ ગ્રંથ અને શિલાલેખનાં વિધાને સમગ્ર રીતે વિચારતાં એટલું સ્પષ્ટ થાય છે કે પ્રથમ સપાન માર્ગ હતું છતાં બીજી દિશાએ રાજા કુમારપાળે પાન માર્ગ બાંધવા આજ્ઞા કરી અને તે કાર્ય તેના મૃત્યુ પછી બંધ પડતા અધૂરું કાર્ય વિશ વર્ષ પછી પૂરું થયું. આમ કે આમડ કુમારપાળના રાજયમાં એક અધિકારી હતા ઇસ. ૧૧૬૬માં પગથિયાં બંધાવનાર શ્રીમાળી આંબક, રાહિંગને પુત્ર હતા, તે બને એક ન હતા.
વસ્તુપાલ તેજપાલે ઈ. સ. ૧૨૩૨ લગભગ ગિરનાર ઉપરનાં ભવ્ય અને સુંદર મંદિર નિર્માણ કર્યા તેની વિપુલ વિગતે ઉપલબ્ધ છે પરંતુ તેઓએ સોપાન માર્ગ બંધાવ્યાને કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવામાં આવતા નથી. થોડા જ વર્ષો પહેલાં બંધાયેલાં પગથિયાં સંપૂર્ણ હશે તેથી ફરીથી બાંધવાની આવશ્યક્તા જણાઈ નહિ હોય !
તે પછી વિ. સં. ૧૬૮ના કાતિક વદી ૬ અને સમવારે શ્રી ગિર
1 હિસ્ટોરિકલ ઇસ્ક્રીપ્શન્સ ઓફ ગુજરાત-શ્રી, ગિ. વ. આચાર્ય પુ રહ્યું. '