________________
ગિરનાર : ૩૯૫
ઋતવાદ્ ઋષિના પુત્ર રૈવત્યંત ગઢાત યોગમાં જન્મ્યો તેથી તે દુઃઋદ્ધિ થયો. તેણે . ગર્ગાચાય ને તેનું કારણ પૂછતાં તેણે કહ્યું કે તારા પુત્ર રૈવતી નક્ષત્રમાં જન્મ્યા છે અને તે નક્ષત્રમાં જન્મેલા માણસા એવા જ હાય છે. આથી ઋતવા ઢાપાયમાન થયા અને તેના પુત્ર દુખ઼ુદ્ધિ થયા છે. તે રેવતી નક્ષત્રમાં તના થયેલા જન્મને કારણે છે એમ માની રેવતી નક્ષત્રને શાપ આપ્યા કે તે પૃથ્વી ઉપર ખરી પડા, રેવતી નક્ષત્ર પૃથ્વી ઉપર ખરી પડતાં તે કુમુદ પર્વત ઉપર આવી પડયુ. કુમુદ તેના પ્રતાપથી બળવા લાગ્યો ત્યારે કુમુદના મિત્ર અને હિમાચલના પુત્ર ઉજ્જય તે આવી તેના દાહનું શમન કર્યુ અને ત્યાં જ નિવાસ કર્યાં. તે પછી દેવાએ પણ ત્યાં જ નિવાસ કર્યાં.”
અન્યત્ર પુરાણકાર કથે છે કે શંકરનાં ઉમા સાથે લગ્ન થયાં ત્યારે ઉમાના ભાઈ ઉજય તે શંકરની આગતા સ્વાગતા કરી તેથી પ્રસન્ન થઈ શકેરે તેને વરદાન આપ્યું મારા પ્રસાથી તુ ગિરિરાજ ગિરિ કહેવાઈશ.’
ૐ
ગિરનાર મહાત્મ્યમાં, ગિરનાર મહેાદયકલો છે, કોઈ સ્થળે ગિરિનારાયણ પણ કહ્યો છે. પુરાણકાર ઉજ્જતની સ્પષ્ટતા કરે છે અને રેવતાચળ પવ તના જુદાં જુદાં શ્`ગેાની વિગતા પણ આપે છે.
ગિરનારમાં, તેના પ્રમાણે આનંદ, કાલરાધ સનક, વ્રુક્ષ, નીલ, કુ ંભ, ગૌતમ, કૃષ્ણ, રૂદ્ર, કુંજર, કાલમેધ વગેરે અનેક પુણ્ય સ્થળા અને વિવરા છે. ઉજ્જય ત પ ત, શિવરૂપ અને શિવ લિ'ગાકાર છે, અને ભૈરવ, ગજપદ, રામાનંદ, ગંગાખ્ય, ખપ`રામ્ય, મહાશૃંગ, અબિકા, ગૌતમાખ્ય, ગુરુશિખર, કાલિકા શિખર, અધેારાખ્ય, શ્રીચક્ર વગેરે શિખરા છે. કુમુદ પર્વતના, સિંહ, વિજય, કમળ, નિલેાચન, અશ્વસ્થાત્મા, કુબેર મહામાદ વગેરે શૃગા છે.
પ્રભાસ ખંડ કહે છે કે જ્યારે ગિરનાર ઉપર જવું હૈાય ત્યારે પુત્ર, કલા, જ્ઞાતિ બાંધવા વગેરે સાથે ગીત, વાદ્ય, વૈઘાષ થાય તેમ ઉત્સવની જેમ જવું. ત્યાં દશ કોડ તીર્થં રહેલાં છે તેથી તે અપવિત્ર થાય નહિ તે માટે ઉપર ઘણું રહેવું નહિ.
ગિરનાર ક્ષેત્રમાં, પાંચ રકાર, ‘રેવતીકુંડ, રશૈવતાચલ, રવીવાર, રેવતી અને રાધા દામેાદર' દુલભ છે.
1 રેવતીની કથા અન્યત્ર આપી છે.
2 અન્ય તીર્થોની વિગતા આગળ આપી છે.
૩ પ્રભાસખંડ ભાષાંતર-વેદમૂર્તિ પાઠક ગોરાભાઈ રામજીના આધારે.