________________
૧૯૪ઃ જૂનાગઢ અને ગિરનાર સ્થાન જે ગિરનારમાં છે ત્યાં સુધી અંતર્ગહી કહેવાય છે.
અધ્યાય ૮માં પુરાણકાર કર્થ છે કે, “વસ્ત્રાપથ ક્ષેત્રની ચતુઃસીમાનું એટલું પ્રમાણ છે કે ઉત્તરમાં ભદ્રાવતી નદી અને પૂર્વમાં બે જન (આઠ ગાઉ), પશ્ચિમમાં વામનપુરી (વંથળી), દક્ષિણમાં બીલેશ્વર (બીલખા) અને તે ક્ષેત્રના મધ્ય ભાગમાં ઉજજયંત મહાન પર્વત છે. આ ક્ષેત્ર વિસ્તાર પરિઘ ચાર જન (સેળ ગાઉ) છે. - અધ્યાય ૯માં જણાવ્યું છે કે, ક્ષેત્રના પર્વતમાં પાંચ યોજનાને વિસ્તાર છે તે ક્ષેત્ર વસ્ત્રાપથ ક્ષેત્ર નામે ઓળખાય છે.''
વસ્ત્રાપથ ક્ષેત્રમાં સાક્ષાત વિષ્ણુ સ્વયં વસે છે. આ ક્ષેત્ર ત્રિલેકને પાવન કરનારું છે. તેમાં સુંદર સરિતાઓ, વૃક્ષો અને અનેક તીર્થો આવેલાં છે. આ તીર્થમાં મહા પાપ કરનારા, વિશ્વાસઘાત કરનારા, સ્ત્રી અને બાલ હત્યા કરનારા, મદ્યપાન કરનારા પતિને વસ્ત્રાપથ ક્ષેત્રના પ્રભાવથી પવિત્ર થાય છે કારણ કે ત્યાં સાક્ષાત શંકર ભવાની સહિત બીરાજે છે. વસ્ત્રાપથ ક્ષેત્રમાં જેના પ્રાણ જાય છે તે સ્વર્ગમાં જાય છે અને આ ક્ષેત્રની ભૂમિમાં જે જન્મ લે છે તે પિતાના કર્મના બંધનથી મુક્તિ પામે છે. પર્વતે
વસ્ત્રાપથ ક્ષેત્રમાં વત, કુમુદ અને ઉજજયંત નામના પર્વતે આવેલા છે તેમાં સર્વ દેવે વાસ કરે છે. આ ત્રણે પર્વતા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સ્વરૂપે રહેલા છે. ત્યાં સુવર્ણરેખા નામની સરિતા વહે છે.
પુરાણકાર ઉજજયંતની ઉત્પતિ માટે કહે છે કે, પૂર્વે પર્વતને પાંખે હતી. પરંતુ મેરૂ, મંદરાચળ અને કેલા સ્થિર હતા. એકવાર કુમુદ પર્વત ઉપર વસતા વિષ્ણુને મળવા શંકર આવ્યા ત્યારે કુમુદ પર્વતે શંકરને નમન કરીને કહ્યું કે આજે પાર્વતીજી સાથે આપ મારે ત્યાં પધાર્યા તેથી હું ધન્ય થયો છું. શંકરે પ્રસન્ન થઈ તેને વર માગવા કહ્યું ત્યારે કુમુદે કહ્યું કે “ભગવાન, આપ જયાં નિવાસ કરી રહે ત્યાં મારે નિવાસ રહે શંકરે કહ્યું કે હે ! કુમુદ ! હું જે ક્ષેત્રમાં રહું તે ક્ષેત્રમાં તારે બ્રહ્માના સે વર્ષ સુધી રહેવું. '
1 વાસ્તવમાં વસ્ત્રાપથ ક્ષેત્ર ગિરનારથી જૂનાગઢ સુધીનું છે. તેની બન્ને બાજુએ ગિરિ
કંદરા છે અને તેથી તે ભૂમી જેમ વસ્ત્ર પાથર્યું હોય તેમ “પાઘડી પરે છે તેથી તે ક્ષેત્ર વસ્ત્રાપથ કહેવાયું હશે (વસ્ત્ર કપડું અને પથમા)