________________
ગિરનાર : ૩૯૩
શ્રી કૃષ્ણ
ગિરનાર મહાત્મ્યમાં કૃષ્ણે ગિરનારના ઉદ્ધાર કર્યો હતા, દ્વારકાના દ્વિપાયુને અગ્નિથી દાહ કર્યા હતા અને તે પછી વાસુદેવ અને જરા રાણીના પુત્ર જરાકુમારે શ્રી કૃષ્ણને; વધ કર્યાં હતા તેથી કથાઓ પણ આપી છે. શ્રી નેમિનાયજીનું નિર્વાણુ
એક સહસ્ર વર્ષ નું આયુષ્ય ભાગવી, અષાડ સુદી ૮ના રોજ શ્રી નેમિનાથજી રૈવત પ ́ત ઉપર નિર્વાણ પામ્યા અને તેની સાથે તેના ભાઈઓ, કૃષ્ણ વાસુદેવની પટરાણીએ, રાજુલ આદિ પણ મેક્ષ પામ્યાં તેમ પણુ મહાત્મ્ય કહે છે.
વાપય ક્ષેત્ર
- જે ક્ષેત્રમાં શ્રી નેમિનાથજીએ દીક્ષા લઈ વચ્ચેાના ત્યાગ કર્યો ત્યાં વસ્ત્રાપથ નામે ક્ષેત્ર વિસ્તર્યુ. તેના ક્ષેત્રપાળ કાળમેલ છે.
ગિરનાર મહાત્મ્ય (સ્કંદપુરાણું)
ક દપુરાણના પ્રભાસખંડમાં અધ્યાય ૭૭ થી અધ્યાય ૧૦૩ સુધીના અધ્યાયેામાં ગિરનાર મહાત્મ્ય આપેલુ છે. તેના સવિશેષ ભાગ મૃગીકુંડ, વામનસ્થળીને સ ંબધકર્તા તથા અન્ય આખ્યાયિકાઓના છે.
વસાય ક્ષેત્ર
પ્રભાસખંડ અનુસાર ગિરનાર ક્ષેત્રનું નામ વપથ ક્ષેત્ર છે અને તે ક્ષેત્ર પ્રભાસ ક્ષેત્ર અંતગત છે. આ ક્ષેત્રમાં શંકરનું દીવ્ય વસ્ત્ર પડી ગયેલુ તથા તે વસ્ત્રાપથ ક્ષેત્ર કહેવાયુ..
વસ્ત્રાપથ ક્ષેત્રનું ક્ષેત્રફળ ગિરનાર મહાત્મ્યમાં ત્રણ સ્થ, આપવામાં આવ્યુ છે. અધ્યાય ૭૯માં કહ્યું છે કે આ ગિરનાર ક્ષેત્ર દ્વરા દશ ગાઉની પરિધના પ્રમાણવાળું છે. દક્ષિણે ખલીનુ સ્થાન ખીલેશ્વર મહાદેવ સુધી, પશ્ચિમમાં વામનપુરી સુધી, ઉત્તરમાં ભદ્રાવતી નદી સુધી અને પૂર્વમાં આઠ ગાઉ સૂર્ય કુંડ સુધીનું છે. તેના મધ્યભાગમાં વિશિષ્ટ તીથ (ત્રવેણી) થી માંડીને કાલિકાનુ
1 ગિરનાર મહાત્મ્ય શ્રી, દેશ. પુ. ખરાડીયા.
2 સરખાવેશ જૈન ગિરનાર મહાત્મ્યમાં વસ્ત્રાપથ ક્ષેત્ર.
જુ. ગિ.-૫૦