SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ઃ જૂનાગઢ અને ગિરનાર વનમાં ગઈ. પાછળથી તેમભટને તથા તેની માને પશ્ચાત્તાપ થયો કારણ કે સાધુઓને આપેલી ભિક્ષાના પ્રતાપે તેના ગૃહમાં રિદ્ધિ સિદ્ધિએ વાસ કર્યો. સોમવાર તેજી માના આગ્રહથી અંબિકને શોધવા તેની પાછળ ગયે. જયારે અંબિકાએ પતિને આવતા જોયો ત્યારે તે તેને મારશે એ બીકે તેણે પુત્ર સહિત કુવામાં પડી આપઘાત કર્યો અને આ દુઃખ સહન ન થવાથી સોમભટે પણ આપઘાત કર્યો. અંબિકા સ્વપુણ્ય બલે, સુવર્ણ સમાન કાંતિવાળા દેવી થયાં. સેમભટ તેનું વાહન સિંહ કે. અંબિકાએ શ્રી નેમિનાથની અદેશના લીધી અને ગિરનારના પવિત્ર તીર્થનાં અધિષ્ઠાયિકા દેવી તરીકે સ્થપાયાં. ગમેઘ સુમામ નગરમાં મૌતમ ગોત્રને ગામે નમને બ્રાહ્મણ રહેતા. તેણે અનેક યજ્ઞ કરેલા તેથી અત્યંત પાપ ઉપાર્જન કરેલું અને પરિણામે તેને સમગ્ર પરિવાર નાશ પામ્ય અને પતિ કુષ્ટરોગથી ગ્રસિત થયો. ગમેઘને કઈ મુનીએ સર્વ ક્રિયાઓ ત્યાગી શ્રી નેમિનાથજીનું સ્મરણ કરવા શિક્ષા આપી. આ શિક્ષા માની તે શ્રી નેમિશ્વરનું સ્મરણ કરતાં કરતાં મૃત્યુ પામ્યા અને ક્ષણ માત્રમાં તે છ હાથે અને ત્રણ મસ્તકે વાળો ગોમેધ યક્ષેશ્વર થયો. તે શ્રી નેમિનાથજીને નમતિ ભજત ગિરનાર ઉપર સ્થિર થઈને રહ્યો. ' વશિષ્ટ મુનિ સુવ્રત સ્વામીના શાસનકાળમાં લક્ષમણ નામને એક રાજા હતા. તેના સમયમાં ગંગા તીરે વિશિષ્ટ નામને તાપસ રહેતા તે વિદ્વાન હતો છતાં કપટી, પાપી અને સ્વાથી હોતે તથા કંદમૂળને અહાર કરતે, વિશિષ્ટ એકવાર એક સગર્ભા મૃગલીને લાકડીને પ્રહાર કરતાં મૃગલી મરી ગઈ. આ કૃત્યથી લેક નિંદા થશે તે ભયથી તેણે તીર્થાટન કર્યું. તીર્થાટન પૂરું થતાં પોતે પાપ વિમુક્ત થયે છે એમ માની રહેતા હતા ત્યાં કોઈ મુનિએ તેને કહ્યું કે માત્ર તીર્થાટનથી પાપ વિમુક્ત થવાતું નથી. મુનિએ તેને રેવતાચળ જવાની શિક્ષા આપી તેથી વશિષ્ટ રેવતાચળ ગયે અને શ્રી અરિષ્ટનેમિની આરાધના કરી મૃગલીની હત્યાના પાપથી મુક્ત થયા. ઉમા-સાંભુ , શ્રી કૃષ્ણને કોઈ મુનિએ કહેલું કે ઉજજયંત પર્વત, ઉમા-શંભુ નામે ઓળખાશે. ત્યાં શંભુ પિતાના દુઃખનું મૂળ ઉમા છે તેમ સમજી તેને ત્યાગ કરશે અને નેમિધરનું ધ્યાન ધરશે. ઉમા પણ તપશ્ચર્યા કરશે અને તે શંભુને ચલાયમાન કરી તેને સાથે લઈ જશે.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy