________________
ગિરનાર - ૩૯૧ કાળકુંવર ચિતામાં કૂદી પડ્યો અને શીઘ ભશ્મિભૂત થઈ ગએ, જરાએ જાવું કે યાદવોનો નાશ થઈ ગયો એટલે તેણે વિશેષ પ્રયાસ કર્યો નહિ.
એવામાં એક વ્યાપારી છવયશા પાસે રત્નકાંબળ લઈ વેચવા આવ્યો. તેણે જીવયશાને યાદવોના દ્વારિકાની સમૃદ્ધિની વાત કહી. કૃષ્ણ પણ જીવિત છે અને યાદ સબળ થયા છે એમ જયારે છવયશાએ જાણ્યું ત્યારે તેણે તેના પિતા જરાસંધને ઉશ્કેરી દ્વારિકા ઉપર મોકલ્યો પરંતુ કૃણે તેને પંચાસરના યુદ્ધમાં પરાજીત કર્યો તેથી ત્યાં શંખેશ્વર પાર્શ્વનાથનું તીર્થ થયું.
શૌર્યપુરમાં, અંધકવૃણિના દશ પુત્રો પૈકીને છ પુત્ર સમુદ્રવિજય અને તેની રાણી શિવાદેવીને ત્યાં એક દૈવી પુત્રને જન્મ થયો. તેનું નામ અરિષ્ટનેમિ પાડવામાં આવ્યું. એકવાર તેઓ રમતા રમતા કૃષ્ણની આયુધશાળામાં ગયા. ત્યાં સુદર્શન ચક્ર આદિ આયુધ પડેલાં હતાં. તેમાં પાંચજન્ય શંખ પણ હતો. નેમિનાથજીએ તે હાથમાં લઈ ફંક અને તેને નાદ સાંભળી કૃષ્ણ ત્યાં દેડી આવ્યા. તેણે તેને બળવાન બાહુ નેમિનાથજી પ્રતિ પ્રસાર્યો પણ તેણે તેને કમળની દાંડી વાળે તેમ વાળી નાખ્યો. પછી તેણે પિતાની ભુજા કૃષ્ણ તરફ પ્રસારી તે પકડવા કહ્યું. કૃષ્ણ તેને પકડી પણ તે વાળી શકયા નહિ. એ સમયે દેવવાણી થઈ કે નેમિશ્વર બાવીસમાં તીર્થકર છે, તે સંસાર કરશે નહિ અને રાજય પણ ભોગવશે નહિ,
કૃષ્ણ તેમ છતાં ઉગ્રસેન પાસે તેની પુત્રી રામતીનું નેમિનાથજી માટે માગું નાખ્યું. ઉગ્રસેને તેને સ્વીકાર કરી શીધ્ર લગ્ન કરી નાખવા આજ્ઞા આપી. નેમિનાથજી લગ્ન કરવા ગયા પણ તેણેથી પાછા ફર્યા અને એક વર્ષ પછી દીક્ષા ગ્રહણ કરી ગિરનાર પર્વત ઉપર આવ્યા. રાજીમતી કે રાજુલા અવિવાહિત રહી અને તેણે પણ ગિરનાર ઉપર આવી દીક્ષા લઈ એક્ષપદ પ્રાપ્ત
કયુ.
મહામ કહે છે કે શ્રી નેમિનાથજી લગ્ન કરવા ગયા ત્યારે તેનું વય ૧૨૫ વર્ષનું તથા રામતીનું વય તેનાથી ૧૭૫ વર્ષ વધારે હતું. રામતી ૧૦૦૬ વર્ષની વયે અને શ્રી નેમિનાથજી ૧૦૦૦ વર્ષની વયે મોક્ષ પામ્યાં. શ્રી નેમિનાથજીએ દીક્ષા દીધી ત્યારે તેનું વય ૩૦૦ વર્ષનું હતું. અંબિકા - જૈન મહામ પ્રમાણે સોમભટ નામના બ્રાહ્મણની પત્ની અંબિકાએ, તેના પતિની ગેરહાજરીમાં, બે જૈન સાધુઓને ભિક્ષા આપતાં, પતિએ તેને ઘરબહાર કાઢી મૂકી તેથી તે અંબર અને શંબર નામના બે પુત્રોને લઈને