SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ : જૂનાગઢ અને ગિરનાર યાદવે કહેવાયા. યદુના પુત્ર શરીના બે પુત્રો શૌર અને સુવીર થયા. શૌરે મથુરાનું રાજ્ય સુવીરને આપી પિતે કુશાવર્તામાં આવી શૌર્યપુર નામનું નગર વસાવ્યું છે * શૌર્યના પુત્ર અંધક વૃષ્ણિને તેની રાણી સુભદ્રાથી દશ પુરો થયા. તેઓ દશારહ કે દશરથ કહેવાયા. તેમને કુંતિ અને મુદ્દી નામની બહેન હતી. કુંતિ પાંડુ રાજાને પરણું તેનાથી તેને પાંચ પાંડ થયા. મુદ્દીને પુત્ર શિશુપાલ થયો. સુવીરે, સિંધુ સરિતાના તીરે સુવીરપુર વસાવ્યું. તેના પુત્ર ભેજવૃષ્ણિના પુત્ર દેવક અને ઉગ્રસેન થયા. દેવકને પિલાસપુરનું રાજ્ય મળ્યું અને ઉગ્રસેન મથુરામાં જ રહ્યું. ઉગ્રસેનની રાણી ધારિણીને પુત્ર જન્મ થતાં તે પુત્રને કાંસાની પેટીમાં પૂરી યમુનામાં નાખી દીધો. દૈવયોગે તે સુભદ્ર નામના વણિકને પ્રાપ્ત થયું. આ પુત્રે વયમાં આવી સિંહરથને હરાવી, મગધના રાજા જરાસંઘની પુત્રી છવયશા સાથે લગ્ન કર્યા અને તે પછી તેના પિતા ઉગ્રસેનને કેદ કરી તેને કાષ્ટ પીંજરમાં પૂરી પિત ગાદીપતિ થશે. કંસે તેના કાકા દેવાની પુત્રી દેવકીને સાતમો પુત્ર તેની હત્યા કરશે એવી ભવિષ્યવાણું તેના ભાઈ અમંતા મુનીએ ભાખેલી ને ઉપરથી દેવકીને પણ કેદમાં પૂરી, તેને સાતમે પુત્ર થતાં દેવકીના પતિ વાસુદેવ તેને ગોકુલમાં લઈ ગયા. - આ પુત્ર કૃણે કંસને મારી ઉગ્રસેનને રાસને બેસાડયા. તે પછી કંસની રાણી પિતૃગૃહે ચાલી ગઈ. તેના પિતા જરાસંઘે કંસના વાતનું વેર લેવા મથુરા ઉપર ચડાઈ કરી પણ કૃણે તેને હરાવ્યું. તે પછી જરાસંઘને પુત્ર કાળકુંવર મથુરા ઉપર ચડે. તેનાથી ડરીને, અઢાર કેટી યાદવ સમુદ્રની દિશામાં નાસી છુટયા. કૃષ્ણને કહેવામાં આવેલું કે ઉગ્રસેનની પુત્રી સત્યભામા કે જે કૃષ્ણની પત્ની હતી તેને જે સ્થળે બેલડાં બાળકો અવતરે ત્યાં સ્થિર થવું તેથી માર્ગમાં જ્યાં ભામ અને ભાન નામના જેકા પુત્રોને સત્યભામાએ જન્મ આપે ત્યાં યાદવો રોકાઈ ગયા. તે પછી કૃષ્ણ અક્રમનું તપ કરી સ્વસ્તિક ગામે, સમુદ્રાધિપતિને આરા. તેણે અઠ્ઠમની ત્રીજી રાતેજ સમુદ્રને ખસેડી ત્યાં બાર યોજન લાંબી અને નવા જન પહોળી રત્નમય દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું પણ કાળકુંવર તે પાછળ જ હતો. કાળકુંવરને રોકવા સારૂ અધ ભારતની અધિષ્ઠાયક દેવીએ માયા રૂપ ધરી એક ચિતા સળગાવી. કૃણની બહેનનું સ્વરૂપ લઈ તેની પાસે રેતી બેઠી. કાળકુંવર પાસે આવ્યું ત્યારે તેણે તેને કહ્યું કે વાદ ચિંતામાં પડયા છે તેથી
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy