________________
ગિરનાર ઃ ૩૮૯
ગિરનાર પર્વત હતા અને સેલંકી યુગમાં ગિરિનગર અને ગિરનારને સાથે ગણવામાં આવતાં તેથી મુસ્લીમ શાસકેએ પણ નગરને તેમજ પર્વતને ગિરનાર નામ આપ્યું. જીર્ણદુર્ગને ઉચ્ચાર કરવા કરતાં ગિરનારનો ઉચ્ચાર સહેલે પણ હતિ તેથી તેને “કિલ્લાએ ગિરનાર'' કે કિલએ ગિરનાલ”? કહ્યો મિરાતે સિકંદરી, તારીખે ફરિસ્તા, તારીખે રિઝશાહી વગેરે ફારસી ઇતિહાસમાં ગિરનાલ કે કિરનાલ નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.' ગિરનાર મહાવ્ય (જૈન)
પ્રતિવર્ષ, જૈન ધર્માવલંબી યાત્રિકે મોટી સંખ્યામાં ગિરનાર ઉપરનાં મંદિરમાં દર્શનાર્થે આવે છે. ગિરનાર મૂર્તિપૂજક વેતાંબર અને દીગમ્બરેનું અતિ પવિત્ર તીર્થ છે. અને ગિરનાર ઉપરનાં વિશાળ, સુંદર અને કળામય મંદિર જેનેનું જ નહિ જૈનેત્તર પ્રવાસીઓનું પણ અનેરું આકર્ષણ છે.
જૈન ગ્રંથ અનુસાર, ગિરનાર-ઉજજયંત-અલૌકિક અને દેવી પ્રકૃતિવાળું પવિત્ર સ્થાન છે. ગિરનાર મહામ્ય પ્રમાણે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાને ત્યાં વસી અનેક પાપીઓને ઉદ્ધાર કર્યો અને પિતે ત્યાં જ મેક્ષ
પામ્યા.
શ્રી નેમિનાથ ભગવાનના જન્મની કથા છે કે, કૌશાંબી નગરમાં સુમુખ રાજાએ, કુવિંદની પત્ની વનમાળાનું હરણ કર્યું. કુવિંદની દુર્દશા થઈ. એક વાર તે સુમુખના રાજ મંદિર પાસે આવ્યા ત્યારે વીજળીના પ્રપાતથી સુમુખ અને વનમાલા મૃત્યુ પામ્યાં. આ દંપતી હરિવર્ષમાં હરી અને હરિણે નામે જમ્યાં. કાળે કરીને હરિને ચંપાનગરીનું રાજ્ય પ્રાપ્ત થયું અને તેને વંશ હરિવંશ કહેવાયો.
આ વંશમાં યદુ થયે તે મથુરાના રાજા થયો અને તેના વંશ
1 ઇ. સ. ૧૪૧૩ને માંગરોળને શિલાલેખ. જુઓ અરેબીક એન્ડ પસીયન ઇન્સ્ટી.
ઓફ સૌરાષ્ટ્ર. શં. હ. દેશાઈ 2 ઇ. સ. ૧૪૭૨ ને જનાગઢ બોરવાડ મસ્જિદ શિલાલેખ. એજન. 3 ફારસી ભાષામાં ગાફનો ગ થાય છે અને કાફને ક થાય છે તેમાં માત્ર એક માત્રાને
ફેર છે. હસ્તલિખિત ગ્રંથોમાં ગાફને બદલે કાફ લખવાનો રિવાજ હતો તે સાથે “ર” ને “લ લખવાની ભૂલ પણ ઘણી હસ્તપ્રતોમાં જોવામાં આવી છે. તેથી ગિરનારને બદલે કિરનાલ વંચાયું હોવાનું જણાય છે.