SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ જૂનાગઢ અને ગિરનાર અર્થાત જેમ જેમ જન ગિરનારને ઢોળાવ અને ટુંક ચડે છે તેમ તેમ તે સંસાર ભ્રમણમાંથી મુક્ત થાય છે. દશ દિતિએ નેમિ કુમારિ આરોહી અવલેઈ(ય)ઉએ, ' દીજઈએ તહિ ગિરનારિ ગયણંગણું અવલોણુ સિહ (કડવું એથે) અર્થાત ગિરનારમાં નેમિકુમારે (જ્યાં) આરહણ કરીને દશે દિશાએ ગગનાંગણ અવલકયું ત્યાં અવલોકન શિખર નામ દેવાય છે.' ઈ. સ. ૭૦ કે ઈ. સ. ૧૨ માં શ્રી વિનયચંદ્ર લખેલા નેમિનાથ ચતુષ્પાદિકા નામના કાવ્યમાં તે લખે છે કે, મિ કુમરૂ સુમરવિ ગિરનારી સિધ્ધિ રાજલકન કુમારી' અર્થાત નેમિકુમારને સ્મરીને કુમારી રાજકન્યા ગિરનારમાં સિદ્ધ થઈ. આવી અનેક પંક્તિઓમાં ગિરનાર શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેથી સિદ્ધ થાય છે કે, ઈસુની આઠમી સદી પછીથી ગિરનાર નામ કૃત અને પ્રચલિત થઈ ચૂક્યું હતું, છતાં વિદ્વાને તેને ઉજજયંત કે રેવત પણ કહેતા હશે. ઈ. સ. ૧૪૫૧-૧૪૫૫ લગભગ લખાયેલા માલિક કાવ્યમાં પણ તેને ગિરિનારાયણ કહ્યો છે. ગિરિનગરમાંથી ગિરનાર થયાને તર્કઅસંબદ્ધ નથી (ગિરિનગર=ગિરિ નઅર) ડો. હરિપ્રસાદ શાસ્ત્રી પણ એ જ અનુમાન કરે છે. પણ ગિરિનાર કે ગિરનાર નામ ગિરિનારાયણમાંથી આવ્યું હોવાનું વિશેષ સંભવિત છે. . ગિરનારમાં ઉજજયંત, રેવત, કુમુદ પર્વતને સમાવેશ થતો અને આજે પણ થાય છે. લેકેએ આજ્ઞાનતાથી કે ભકિતભાવથી તેને ઉજજયંત કે રેવતક રહ્યું હોય છતાં તે ગિરનારજ હતો અને ગિરનારજ રહ્યો. ગિરનાર જૂનાગઢનું નામ ગિરિનગર અને પછી જીર્ણદુર્ગ હતું તથા તેની સમીપે 1 ડો. હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણી સંપાદિત રેવંતગિરિરાસુ, 2 એ જ લેખક સંપાદિત નેમિનાથ ચતુષ્પાદિકા, 3 કવિ ગંગાધર, 4 શ્રી હરિવલ્લભ ચૂ. ભાયાણી, રેવતગિરિરાસુ - નેમિનાથ ચતુષ્પાદકો, . 5 ડે. હરિપ્રસાદ શાસ્ત્રી, જુનાગઢ - પ્રાચીન ઈતિહાસ, ગુ. સા પરિષદના ઇ, સ, ૧૯૬૯ અધિવેશનની સ્મારકાને લેખ
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy