________________
૩૮ : જૂનાગઢ અને ગિરનાર
વૃક્ષ વલ્લરી અને પુષ્પ લતાએ અને દૂર છતાં સમીપ દેખાતાં ગિરિવર ગિરનારની દિવસમાં વારવાર રંગ બદલતી અને ક્ષણે ક્ષણે નૂતનનાં ધરતી ટેકરીઓથી એ તળાવનું દર્શન આંખને તૃપ્ત કરતું હશે તેથી તેનું નામ સુદર્શન આપવામાં આવ્યું અને ત્યાં નગરજનો આનંદપ્રમાદ ખાતર મોટી સંખ્યામાં જતા હશે તેથી-અશે કે તેના તીરે જ ધણા લેાકેા વાંચી શકે તે માટે આજ્ઞાઓ કાતરાવી. તે વર્ણના અને વિધાનના સંદર્ભોમાં જે ગિરિનગર, ગિરનારની તળેટીમાં વસતું તે વિધાન વિચારીએ તા ઉપરકાટ અને ગિરિનગરની વચમાં સુદર્શન તળાવ હતું અને તે બંને એક ખીજ્રથી કપાઈ ગયાં હતાં, એવી પણ એક માન્યતા છે કે ગિરિનગર સુદર્શનને બ ંને કાંઠે વસતુ. શિલાલેખ સ્પષ્ટ કહે છે કે તેની બ ંને બાજુએ માર્ગો બંધાવેલા અને જો માર્ગ હાય તા પછી મકાનેા માટે જગ્યા રહે નહિ તે સ્વાભાવિક છે, આ માન્યતા ભૂલભરેલી છે તેમ સ્પષ્ટ અને આધારભૂત પ્રમાણેથી જાણી
શકાય છે.
પુરાતત્ત્વવિદે માને છે કે બાવાપ્યારાની ગુફા, ખાપરા કાઢિયાની ગુફા, ઉપરાષ્ટ વગેરે મૌય કાલમાં અસ્તિત્વ ધરાવતાં. ઈંટવા-ખારદેવીના ઉત્ખનનમાં નીકળેલા અવશેષે! ઉપરથી નિઃશંક રીતે કહી શકાય છે કે ખારદેવી ઈવા વગેરે સ્થળે ધર્માંસ્થાના હતાં પણ ત્યાં પ્રજા વસતી ન હતી.
રૂદ્રદામાના ઇ. સ. ૧૫૧-૧૫ના પવ તીય લેખમાં કહેવામાં આવ્યુ છે કે જયારે વૃષ્ટિ વરસતાં વાદળાંઓને લીધે પૃથ્વી જાણે કે સમુદ્ર બની ગઈ હતી ત્યારે ઉજયંત પર્વતનાં સુવર્ણસિકતા પલાશને અને ખીજ વાકળા, અતિ આવેગ પૂર્વ આવેલા પૂરથી તે બધ....જો કે યોગ્ય સાવચેતી (રાખી હતી) તે પણ પર્વતનાં શિખરા, વૃક્ષા, કાંડા, અગાસી, મેડીએ, દ્વારા, અને ઊંચા વિસામાએ ફાડી નાખતા યુગના અંત લાયક પરમ ઘેર વેગવાળા તોફાનથી વલાવાતા પાણીએ વિખેરી નાખ્યા, ભાગીને ભૂકા કર્યાં, ફાડી નાખ્યાં...આસપાસ વિખરાયેલા પથ્થર, ઝાડી અને વેલેથી નદીના તળિયા પંત ખુલ્લુ થઈ ગયું.” આ વનમાં ગિરિનગર, સુદર્શનની કઈ દિશામાં હતું તે કહેવામાં આવ્યું નથી અને કહ્યું હાય તા તે ખડિત ભાગમાં આવી જાય છે.
સ્કંદગુપ્તના ઈ.સ. ૪૫૬-૪૫૭ના લેખમાં જણાવ્યુ` છે કે પછી સ દિશામાં) શુ કરવું તે વિવેચન કરતાં લેાક નિરાશ થયા અને આખી રાત્રી
* ભાષાંતર-હિરટાટિલ ઇન્સ્ક્રિપ્શન્સ એક ગુજરાત, પુ. ૧-શ્રી ગિ. વ. આચાય