________________
ગિરનાર : ૩૮૫
દક્ષિણને રૈવત અને મધ્યને ઉજજયંત કહેવાય. તેના ઉપર મંદિર છે. વગેરે”
સ્કંદપુરાણ ઈસુની છઠ્ઠીથી આઠમી સદીની વચમાં લખાયું છે તેમવિદ્વાને નિઃશંક માને છે. તેથી જ્યારે આ મહાસ્ય લખાયું ત્યારે જે પર્વત ઉપર મંદિર છે તે પર્વત ઉજજયંત કહેવા અને રૈવત તેની ઉત્તર દિશામાં હતું. તેની સમીપે દામોદર કુંડ હતા. રેવત, મુચકુંદેશ્વરથી ઉજજયંત સુધીના વસ્ત્રાપથના અંતક્ષેત્રમાં હતા.
સ્કંદપુરાણનું વર્ણન વાંચતાં એ પણ ફલિત થાય છે કે તે એક લેખકે એક સાથે લખ્યું નથી અથવા તેમાં કેટલાક ભાગ ક્ષેપક છે. દ્વારકા પાસેના રેવતકને સંદિગ્ધ ઉલલેખ કરીને કહેવામાં આવ્યું છે કે સમુદ્ર પાસે રૈવતાચળ વગેરે પર્વત છે અને ત્યાં ગિરનાર ક્ષેત્ર છે, ત્યાં દામોદરનું તીર્થ છે. આ વિધાન અવશ્ય ક્ષેપક હેવાનું માનવામાં બાધ નથી અથવા પુરાણકાર બને રેવતનાં જુદાં જુદાં નામો હતાં તેમ કહેવાને બદલે બન્નેને સેળભેળ કરી નાખવામાં અચકાયા નથી તેમ પણ માનવામાં હરત નથી પુરાણકારે, હરિવંશના વિધાનમાં ફેરફાર કર્યો છે અને સાચું શું છે તેમાં તે સ્વયં શંકામાં છે એટલે જેમ પ્રભાસખંડના, પ્રભાસક્ષેત્ર મહામ્યમાં તેણે તેનાં વિધાને વારંવાર બદલ્યાં છે તેમ આ વિષયમાં પણ બન્યું હોવાનું જણાય છે. - - જૈન ધર્મગ્રંથમાં ગિરનાર મહાય આપેલું છે. તેમાં આપેલી કથાઓમાં જણાવ્યું છે કે રેવંત નામે ગિરિપ્રવર જયવંત પ્રવર્તે છે. વિશેષમાં ગિરનારને ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે આ “ઉજયંત ઉર્તીધર ઉપર...” ગિરનાર મહાત્મના અંબિકા ચરિત્રમાં કહેવામાં આવ્યું છે કે “સૌરાષ્ટ્ર દેશના પર્વત પુરંદર શ્રી રેવતાચળની દક્ષિણ દિશાએ ઋદ્ધિમાં કુબેરપુર કલ્પ અને ન્યાયવાન નરનારીઓથી નિવાસિત કુબેરનગર છે, ત્યાં યક્ષા નામની નદી છે. વરદત વ્યાખ્યાનમાં બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિના ગણધરે રેવતાચળે કમ ખપાવી શાશ્વત શિવરાજનું પરમપદ પ્રાપ્ત કર્યાની કથા છે, તેમાં ગિરનારને રેવતાચલ કહ્યો છે. આ વ્યાખ્યાનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, શ્રી નેમિનાથજીની પ્રતિમા દ્વારકામાં હતી. દ્વારકાનું અસ્તિત્વ રહ્યું ત્યાં સુધી તેની પૂજા થઈ તે પછી શ્રી નેમિશ્વર ભગવાનના નિર્વાણથી બે સહસ્ત્ર
1 પ્રભાવક ચરિત્ર-વિવિધ તીર્થકલ્પ. જ. ગિ–૪૮