________________
૩૮૪ : જૂનાગઢ અને ગિરનાર
પર્વતનું નામ વિત પાડી કરવામાં આવ્યું હોય ! દ્વારકા પાસે રેવત હતા અને ગિરનાર સમૂહના એક પર્વતનું નામ પણ રેવત છે, તેથી કેટલાક વિદ્વાને શ્રી કૃષ્ણનું દ્વારકા જૂનાગઢ પાસે હતું એવા ભ્રમમાં છે અને જુદા જુદા પ્રકારે ત કરી તે સિદ્ધ કરવા મિથ્યા પ્રયાસ કરે છે. દ્વારકાને રેવત તે દ્વારકાની સાથે સમુદ્રમાં પ્લાવિત થઈ ગયો અને તેનું નામો નિશાન પણ રહ્યું નહિ.
એક જ નામની ભારતમાં ઘણું નદીઓ છે, એક જ નામનાં ઘણું નગરે છે એમ - એક જ નામના એકથી વધારે પર્વત કેમ સંભવે નહિ?
સ્કંદપુરાણ અંતર્ગત પ્રભાસખંડના ૭૭મા અધ્યાયમાં, ગિરનાર મહામ્ય આપ્યું છે, તેમાં “ગિરિનારમાં રેવત, કુમુદ અને ઉજજયંત નામના ત્રણ પર્વતે હેવાનું કહેવામાં આવ્યું છે. પુરાણકાર વિશેષમાં કહે છે કે, “પૃથ્વીના પશ્ચિમ ભાગમાં સમુદ્રની પાસે રેવતાચળ વગેરે પર્વતે છે તે જગ્યાએ ગિરનાર ક્ષેત્ર આવેલું છે. ત્યાં દામોદર નામનું તીર્થ છે.ભવનાથ મહાદેવ છે. તેની પાસે ઉજજયંત નામને મોટા પર્વત છે, તે જગ્યાએ સુવર્ણરેખા નામની નદી છે” આજ મહામ્યમાં (પ્રભાસખંડના ૯૦માં અધ્યાયમાં) કહેવામાં આવ્યું છે કે “રેવતાચળના ઘાટા વનમાં થઈ ભવનાથ જવાય છે અને ત્યાંથી ઉજજયંત પર્વત દષ્ટિગોચર થાય છે તેના નૈઋત્યે બેરદેવી છે અને વાયવ્ય સરોવર છે.” પ્રભાસખંડ રેવતાચળની સ્પષ્ટતા કરતાં કહે છે કે “રેવતાચળ વસ્ત્રાપથ ક્ષેત્રમાં લાંબો થઈ ઘણી જગ્યામાં પડેલ છે અને ઉજજયંત તથા કુમુદ નિર્ણત સીમામાં છે,
દ્વારકાના રેવત સાથે રેવત રાજાની વાર્તા જોડી દેવામાં આવી છે, જ્યારે પ્રભાસખંડમાં વાર્તા છે કે કતવા નામના ઋષિએ, રેવતી નક્ષત્રમાં જન્મેલો તેને પુત્ર દુષ્ટ થયો તેથી તેણે રેવતી નક્ષત્રને આકાશમાંથી ખરી પડવાને શાપ આપ્યો અને તેના પરિણામે રેવતી નક્ષત્ર આકાશમાંથી ખરી પડયું અને કુમુદ પર્વત ઉપર પડ્યું. આમ નક્ષત્રપાત થવાથી કુમુદ પર્વત બળવા લાગ્યો પણ હિમાલયના પુત્ર ઉજજયંતે તેના દાહનું શમન કરી દીધું અને પછી પોતે પાછો હિમાલયમાં ન જતાં ત્યાં જ રહી ગયે. રેવતી નક્ષત્ર જેટલા ભાગ ઉપર પડયું તે પર્વત રૈવત નામે પ્રસિદ્ધ થયે. ઉત્તરનો કુમુદ,
1 આ પ્રશ્નની વિસ્તૃત ચર્ચા માટે જુઓ “શ્રી કૃષ્ણનું દ્વારકા. શં. હ. દેશાઈ. 2 પ્રભાસખંડ-ભાષાંતર-વેદમૂર્તિ પાઠક ગોરાભાઈ રામજી. ૩ રવત રાજની વાર્તા માટે જુઓ આ પુસ્તકમાં પાનું ૩૪