________________
ગિરનાર : ૩૮૩
ગિરનાર પર્વત
પુરાણકારોએ, કવિઓ, લેખકેએ, અને પ્રવાસીઓએ જેનાં ક્ષણે ક્ષણે બદલાતા સૌંદર્યની અસીમ પ્રશંસા કરી છે, વનસ્પતિ શાસ્ત્રીઓએ જેનાં વૃક્ષે અને વનસ્પતિની વિપુલતા અને વિશિષ્ટતા ઉપર વર્ણને લખ્યાં છે. પુરાતત્ત્વવિદ્દોએ કલાના પ્રતિક જેવાં મંદિર અને શિલાલેખોની અપાર સ્તુતિ કરી છે, જેના ઉપર અનેક મહાન અને પવિત્ર યોગીઓ, સંત, સાધુઓ, સિધ્ધો અને સંન્યાસીઓ વસી ગયા છે અને વસી રહ્યા છે, જેની ભેદી ગુફાઓ અને ગેબની વાત, વાર્તાઓ નથી પણ વાસ્તવિકતા છે એમ સિધ્ધ થઈ ગયું છે. તે ફળફૂલથી લચી રહેલો, નિર્મળ જળના અસંખ્ય સ્રોતથી પલળતે ગિરિવર ગિરનાર સોરઠની શોભા અને સૌરાષ્ટ્રનું ગૌરવ છે.
એક અંગ્રેજ લેખક કહે છે તેમ “આ મહાન પ્રાચીન પર્વતને બુદ્ધિપૂર્વક જેમને તેમ રહેવા દીધું છે (તે ગ્ય જ છે) અને તે જેને તે રહે ! (તવી અભિલાષા). જે તેના ઉપર વિશેષ મકાન બાંધવામાં આવશે કે (આધુનિક) સભ્યતા ત્યાં લઈ જવામાં આવશે તે આપણે જરૂર દિલગીર થશું..
જુગ જુગ જના, મહા તપસ્વી જેવ, આ વિરાટ પર્વત એક મહાન યોગી સમો જૂનાગઢની પૃષ્ઠ ઊભા રહી તેને શક્તિ, પ્રેરણા અને બળ રહ્યું છે. રંવત-ઉજજયંત
ગિરનાર પર્વતને પૂર્વ કાલમાં રેવત કહેતા તેના એક પર્વતને ઉજજયંત પણ કહેતા. આ ઉપરથી ઘણું લેખકેએ ગિરનાર, રૈવત, ઉજજયંત વગેરેને એક માની લીધા છે.
, વિષ્ણુપુરાણ વગેરે ગ્રંથેનાં વણને ઉપરથી જણાય છે કે રૈવતક, રૈવત, રેવત, દ્વારકા સમીપ હતા. અને દ્વારકા સમુદ્રમાં વિલિન થયું ત્યારે તે પણ સાગરનાં જળ નીચે ગયો. એ પ્રસંગે, જૂનાગઢ પાસેના પર્વતના એક ભાગનું નામ રૈવત હોય અથવા દ્વારકાના લુપ્ત થયેલા રેવતનું સ્મારક, આ
1 કર્નલ ટોડ, મિસીસ પોસ્ટન, જનરલ સર લી. ગ્રાન્ડ જેકબ, જે. ફેબ્સ જે. બજેસ
વગેરે પાશ્ચાત્ય વિદ્વાનોએ ગિરનારની અપાર પ્રસંસા કરી છે. 2 સૌરાષ્ટ્ર એન્ડ ધી હીલ ઓફ સોરઠ –સી. એમ.-કલકરો રિવ્યુ ઇ. સ. ૧૮૭૭,
ગિરનારના વિકાસ માટે ઘણાં વર્ષોથી સમિતિ નીમાય છે, ચર્ચા થાય છે અને યોજનાઓ ઘડાય છે, તા ૧૨-૧-૧૯૭૬ ના રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ્રીએ મિટીંગ બોલાવેલી. પછી ઘણી મીટીંગ થઈ પણ હજી સુધી કોઈ પરિણામ નથી.