SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ ઃ જૂનાગઢ અને ગિરનાર પશુઓ-પક્ષીઓ ગિરનારમાં નીચેની જાતનાં રાની પશુઓ જોવામાં આવે છે? દીપડા, રેઝ, જંગલી ભૂંડ, સાબર, હરણ, શિયાળ, ઘેરદીયા, શાહુડી, નાર વગેરે. સિંહે કવચિત ચોમાસામાં આવી ચડે છે.' તે ઉપરાંત કાળા મુખવાળાં વાનરે પણ પુષ્કળ જેવામાં આવે છે. સામાન્ય પક્ષીઓ ઉપરાંત ગિરનારમાં ગીધ વિશેષ જોવામાં આવે છે. ભૂસ્તર ગિરનારનો પહાડ ડેકેરાઈટ અથવા બેસાઈટ પથ્થરોના પ્રકાર છે. ઉપરનાં શિખરે ગ્રેનાઈટનાં છે, તેમાં કવાટ હોવાથી જ્યારે ગિરનાર જવાળામુખી થયો હશે ત્યારે લાવાને ત્યાં પથરાવા ન દેતાં કોઈ પણ અસર ન કરવા દઈ નીચે વહી જવા દીધે હશે. ગિરનારની નીચેના ભાગમાં અને તળેટીમાં લાઈમસ્ટોન મીલીલાઈટ છે જેને વિપુલ પ્રમાણમાં ઈમારતી કામ માટે ઉપવેગ થાય છે. ઈ. સ. ૧૮૯૩ માં ડો. જે. ડબલ્યુ ઈવાન્સ નામના ભૂસ્તરશાસ્ત્રીએ ગિરનારની મોજણી કરી એમ જણાવ્યું છે કે ગિરનારમાં કાળે ગારનેટ અને ગ્રેનાઈટ પ્રકારને પાષાણ થર છે. અહિં ત્રાંબુ પણ પ્રાપ્ત થઈ શકે તેવી શકયતા છે. ગિરનારમાં અબરખ પણ છે. પરંતુ નિષ્ણાતો માને છે કે તેને એકત્ર કરી શુદ્ધ કરવાનો ખર્ચ ન પોસાય તે થાય તેમ છે. આ અભિપ્રાય વિજ્ઞાનના વિકાસના ઉષાકાળને છે વર્તમાન સમયમાં આ સ્થાનની મોજણી થાય તે ત્રાં, અબરખ કે અન્ય ખનીજ મળી શકે તેમ છે કે નહિ તેની ખાત્રી થઈ શકે. 1 જનાગઢ પ્રાણી સંગ્રહસ્થાનમાં પુરેલા સિંહોની ડણક ઉપર જંગલમાંથી વારંવાર સિંહો સક્કરબાગમાં આવી ચડે છે. શહેરમાં પણ કાળવા બહાર કવચિત સિંહ દેખાય છે. ઈ. સ. ૧૮૬લ્માં મેજર સેલે ગિરનારમાં સિંહને મારેલો. ઇ. સ. ૧૯૪લ્માં એડમિનીસ્ટ્રેટરના બંગલા પાસેથી પસાર થયેલા સિંહને શ્રી કનુભાઈ મજમુદારે સક્કરબાગ પાસે રાજ્યાજ્ઞાથી ગોળીએ દીધો હતો. ઈ. સ. ૧૯૪લ્માં એક સિંહણું સક્કરબાગમાં ચડી આવેલી તેને પકડી લેવામાં આવી. તે દિવસે પૂનમ હતી એટલે તેનું નામ પૂર્ણિમા પાડેલું. ૧૯૭૪માં બેટીયામાં સિંહો આવેલા. ૧૮ના માર્ચમાં બે સિંહો સકકરબાગમાં ત્યાંના સિંહને મળવા આવેલા.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy