________________
ગિરનાર
જૂનાગઢ નગરની પૂર્વે, કટના વાઘેશ્વરી દરવાજાથી બે માઈલ અને બે ફર્લાગ દૂર ગિરનાર પર્વત છે. સામાન્ય રીતે તે ગિરનારની ગિરિમાળા, નગરના દુર્ગથી બે ફર્લા ગથી જ શરૂ થઈ જાય છે. બન્ને બાજુએ જુદા જુદા નામોથી ઓળખાતી પર્વતીઓ વચ્ચેથી પસાર થતો માગ, લક્ષમણ ટેકરી અને અશોકના શિલાલેખ પાસે પુલ ઉતરી, દામોદર કુંડને કાંઠે થઈ ભવનાથ તળેટીમાં પહોંચે છે અને ત્યાંથી જેને જૂનાં પુસ્તકમાં, શિલાલેખોમાં અને મહામાં ઉજજયંત કહ્યો છે અને જેને આજે લોકે ગિરનાર તરીકે ઓળખે છે, ત્યાં આવી પહોંચે છે. પર્વતે
ગિરનારની ગિરિમાળામાં પર્વતોને એક સમૂહ છે. તેમાં ઉત્તરથી દક્ષિણ તરફ જતાં બાબરીયો, ખોડીયાર, લાખામેડી, કાબર, કનૈયે, ગધાટ, લામધાર અને તટાકીયો નામના ડુંગરે છે. તે ઉપરાંત ભેંસલે, જોગણીને પહાડ અશ્વત્થામાને ડુંગર, લક્ષમણ ટેકરી, દાતાર વગેરે પર્વતોથી ઉજજયંતી ઘેરાયેલો છે. શિખરે
ઉપરકેટ બાદ કરતાં ગિરનારનાં અંબાજી, ગોરખ, ઓઘડ, દત્તાત્રેય અને કાલિકા એમ પાંચ મુખ્ય શિખરે છે.