________________
૩૮૦ : જૂનાગઢ અને ગિરનાર
ઊંચાઈ
ગિરનારની ઊંચાઈ. સમુદ્રની સપાટીથી ૩૦૦૦ ફીટથી વિશેષ છે. ગેરખનાથનું શિખર સહુથી ઊંચું છે. તે ૩૬૬૬ ફીટ છે. દત્તાત્રયનું શિખર ૩૨૮૫ ફિટ, અંબાજીનું ક૭૩૦ ફીટ તથા ગોમુખી ગંગા છે તે શિખર ૩૧૦૦ ફીટ છે. ગિરનારનું માળી પરબ ૧૮૮૦ ફીટ છે.* ક્ષેત્રફળ
ગિરનારનું ક્ષેત્રફળ ૭૦ ચોરસ માઈલ એટલે ૪૫૦૭૫ એકર અને ૩૭ ગુઠા છે. ગાળાઓ
ગિરનારમાં, હસનાપુર, સૂરજકું, બેરી અને માળવેલા નામના બાળાઓ (ધા) છે. નાકાઓ
જંગલ ખાતાએ, ગિરનારની પર્વતમાળા આસપાસ સ્થાપેલાં નાકાઓમાં મુખ્ય નાક, કાલવા, પાજ, દેલતપરા, જાંબુડી, પાતરાણું, પાટવડ, રણશીવાવ, કાળા ગડબા, ડુંગરપુર, પાદરીયા, તેરણીયા, બીલખા, લામડીધાર તથા રામનાથ છે. વિશેષ સ્થાને
ગિરનારમાં, પિલે આંબે, વેલાવન, માળવેલે સાતપુડા, ઝિણું બાવાની મઢી, જાંબુવાનની ગુફા, બેરદેવી, ઈટવા, ચામુદ્રી, ખેડીયાર, ફાટેલ ખેડીયાર વગેરે વિશેષ જાણીતાં સ્થાને છે. નદીઓ
ગિરનારમાંથી, લલ, સોનરખ, ગુડાજલી, હેમાજલી, ઢેઢી કળા, કાળવા કળા અને બીજી અનેક નાની નદીઓ, કળા કે નાળાં નીકળે છે. તળા
ભવનાથ તળેટી પાસે એક તળાવ છે જે બહુ જૂનું નથી. ઈ. સ. ૧૮૯૭માં
1 આ માપમાં જુદા જુદા માપણી કરનારાઓ થોડો થોડો ફેર બતાવે પણ તે ૧૦ ફીટથી
વધતો ઘટતો નથી.