________________
બાબી વંશને-અંત : ૩૭૭
વાક્યાતુર્ય, હિમ્મત અને નિશ્ચયથી ઉથલાવી નાખી પાકીસ્તાનના જડબામાંથી સોરઠને પાછું ખેંચી લાવનાર આ વીર પુરુષની હયાતી નથી છતાં તેનું અજોડ કાય ઈતિહાસનાં પાનાં ઉપર તેને અમર કરી ગયું. મુંબઈ રાજ્ય - ઈ. સ. ૧૮પમાં સૌરાષ્ટ્ર રાજ્યનું મુંબઈના દ્વિભાષી રાજ્યમાં વિલિનિકરણ થતાં જૂનાગઢ તે રાજ્યના સોરઠા જિલ્લાનું મુખ્ય મથક થયું અને
ડાજ દિવસમાં મુંબઈ સરકારે સોરઠ જિલ્લાનું નામ નષ્ટ કરી તેને જૂનાગઢ જીલે એવું નામ આપી સદીઓ જૂના ઐતિહાસિક સે રઠ નામને મિટાવી દીધું. ગુજરાત રાજ્ય
ઈ. સ. ૧૯૬માં મુંબઈના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાત જુદું પડતાં જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાનું મુખ્ય મથક રહ્યું. ઉપસંહાર
આમ સૌરાષ્ટ્રના અતિ પ્રાચીન અને ઐતિહાસિક નગરને પ્રાગૈતિહાસિક કાળથી ઈસુની વીસમી સદીના પૂર્વાર્ધ સુધીને ઈતિહાસ પૂર્ણ થાય છે. તે પછીના સ્વતંત્ર ભારતના જૂનાગઢનો ઈતિહાસ આલેખવાનું કાર્ય ભવિષ્યના કઈ વિદ્વાન લેખકને કરવાનું રહેશે.'
શૂરવીરની કર્મભૂમિ અને તપસ્વીઓની તપોભૂમિ એવી સોરઠની ધરતી ઉપર અનેક નામી અનામી વીર પુરુષોએ સ્વધર્મ અને સ્વદેશના રક્ષણે પિતાનાં સર્વસ્વનાં સ્વાર્પણ કર્યા. સોરઠના સિંહાસન ઉપર પિતાનું સ્વામીત્વ સ્થિર કરવા અનેક રણુશરા રાજવીઓએ એ ભૂમિને રક્તથી રંગી અને અનેક રાજનીતિકૂટ રાજપુરુષોએ તેમના અધિકારને અટલ રાખવા પ્રપંચ અને છલકપટની શેતરંજ ખેલી. આ તપોભૂમિમાં અનેક મહાન યોગીઓ અને સિદ્ધોએ અનંતની ઉપાસના કરી તેમની અદભૂત સિદ્ધિથી કરોડોનું કલ્યાણ અને શ્રેય કર્યું અને અનેક સંતો અને ભક્તોએ નિરંતર થતા રક્તપાતથી ત્રાસી ગયેલી જનતામાં ભક્તિ રસની પ્રેરણાથી શ્રદ્ધા અને આશાનાં સિંચન કર્યા–તે ભૂમિમાં અડગ,
11
આ ઈતિહાસ ઈ. સ. ૧૯૪૮ના અંત સાથે પૂરો થાય છે. તે પછીના આવશ્યક પ્રસંગે રસક્ષતિ ન થાય તે માટે બહુ જ સંક્ષિપ્તમાં આપ્યા છે.
જ. ગિ.-૪૮