SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ જુનાગઢ અને ગિરનાર પસંદ કર્યા આ નિડર, નિષ્પક્ષપાતી, બહેશ, કર્યક્ષમ અને કુશળ વહીવટકર્તાએ, રાજ્યમાં શાંતિ, સલામતી, કાયદો અને વ્યવસ્થા સ્થાપ, પ્રજાને ચાહ મેળવ્યું. તેને ભારત સરકારને આધીન રહેવું પડતું અને તે સાથે વર્ષોની નિદ્રામાંથી જાગૃત થયેલી પ્રજાના અરમાન અને અભિલાષાઓને પિષવા માટે પણ તત્પર રહેવું પડતું. શ્રી નીલમભાઈ બૂચ જેવા સૌરાષ્ટ્રના એક મહાન સપુતના સતત માર્ગદર્શન, સહાય અને સહાનુભૂતિથી જૂનાગઢ રાયે કાતિ અને પરિવર્તનને અજોડ ઈતિહાસ સજર્યો અને તેનું દષ્ટાંત, અન્ય રાજાઓને તેના હકકો અને અધિકારીને ત્યાગ કરી ભારત વિશાળમાં તેમનાં રાજ સેપી દેવા માટે માર્ગદર્શક થયું. સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના રાજ્ય જૂનાગઢ રાજ્યનાં ખાતાં ધીરે ધીરે સંભાળ્યાં. નવા કાયદાઓ લાગુ કર્યા અને જુનાગઢ શહેરને, સોરઠ જિલ્લાનું મુખ્ય મથક બનાવી ત્યાં કલેકટરની નિમણૂક કરી. સોરઠના પ્રથમ કલેકટર સ્વ. કુ. શ્રી બનેસિંહજી એમ.એ. (કેમ્બ્રીજ) એ. બી. ઈ. એ તારીખ ૧૦-૧૦-૧૯૪૯) રોજ ચાર્જ લીધો અને રા. સા. તારાચંદ પાછા ગયા. પાટનગર કમિટી સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર કયાં થવું જોઈએ તે મને વિચાર કરી અભિપ્રાય આપવા ભારત સરકારે શ્રી ભગુભાઈ આર. પટેલ આઈ. સી. એસ. ના પ્રમુખપણું નીચે એક કમિટી નીમી. આ કમિટી તા. ૧૮-૭-૧૯૪૮ના રોજ જૂનાગઢ આવી ત્યારે શ્રી સામળદાસ ગાંધીએ જૂનાગઢ સૌરાષ્ટ્રનું પાટનગર થવા સ રીતે એગ્ય છે તે મતલબનું નિવેદન આપ્યું' પણ કમિટીએ રાજકોટ પસંદ કર્યું અને જૂનાગઢનું મહત્ત્વ અને અગત્ય ઓછાં ગણ્યાં. ચૂંટણી ઈ. સ. ૧૯૫૧માં સામાન્ય ચૂંટણી થઈ તે પહેલાં અંગત મતભેદના કારણે શ્રી સામળદાસ સૌરાષ્ટ્ર મંત્રી મંડલમાંથી છૂટા થઈ ગયેલા. તેઓ આ ચૂંટણીમાં ઊભા રહ્યા. પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા અને થોડા સમય પછી ગુજરી ગયા. જૂનાગઢના નવાબને અને તેની ભુટા અધિક્ષિત સરકારને સોરઠમાંથી, 1 આ નિવેદનને મુસદ્દો મારે ઘડેલ હત-લેખક.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy