________________
૩૭ર : જૂનાગઢ અને ગિરનાર
,
તથા પ્રભાસપાટણ-તાલાળામાં શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઇને વિશાળ સત્તાઓથી એડમિનીસ્ટ્રેટીવ ઓફિસર તરીકે નીમવામાં આવ્યા.
આ અધિકારીઓએ, રાજ્યતંત્રની પુનઃ સ્થાપના કરી અને કાયદે તથા વ્યવસ્થા સ્થાપી, અસામાજિક અને અનિચ્છનીય તત્તવે અને કેમવાદી માનસ ધરાવતા અથવા ઉપદ્રવ કરતા માણસોને શાંત કર્યા.
જૂનાગઢ રાજ્ય હિન્દી સંધમાં જોડાય કે પાકીસ્તાનમાં તે પ્રશ્ન લેકમત જાણવા તટસ્થ નિરીક્ષણ નીચે તારીખ ૨૦-ર-૧૯૪૮ના રોજ ગુપ્ત મતદાન યોજવામાં આવ્યું. તેમાં પુખ્ત વયનાં સર્વ સ્ત્રી પુરુષોને મત આપવાને અધિકાર હતું તે પ્રમાણે મત આપી શકે તે માટે જુદાં જુદાં કેન્દ્રો મુકરર કરવામાં આવ્યાં આ મતદાનનું પરિણામ તારીખ ૧-૩-૧૯૪૮ના રોજ જાહેર કરવામાં આવ્યું, તે પ્રમાણે ૧,૯૦૭૭૯ મતે ભારત સાથે રહેવા માટે અને માત્ર ૯ મતે પાકીસ્તાનમાં ભળવા માટેની ઈચ્છા પ્રદર્શિત કરતા મત પેટીઓમાં પડેલા. . સિંધીઓનું આગમન
ભારતના ભાગલા પડતાં પાકીસ્તાનમાં લઘુમતીમાં આવી ગયેલા હિન્દુઓ ઉપર અસહ્ય ત્રાસ અને જુલમ ગુજારવામાં આવ્યો અને તેમને સિંધમાં વિશેષ સમય રહી શકવાનું અશકય લાગ્યું તેથી તેઓ તેમનાં વહાલાં વતનને અંતિમ વંદન કરી, તેમનાં ઘરબાર, જમીન, જાગીર, વેપાર ધંધો અને તેમનાં સંભારણ મૂકી ભારત સરકારની પ્રજા સ્થળાંતરની યોજના અન્વયે ભારતમાં આવ્યા. આવા લેકે જુદા જુદા સમહમાં કરાંચીથી રવાના થઈ વેરાવળ બંદરે ઉતરી ભારતમાં જુદા જુદા સ્થળે વસવા જાય તે કાર્યક્રમ ઘડવામાં આવ્યો અને તમાં અમુક સંખ્યા જૂનાગઢ રાજયમાં સમાવી લેવાનો પણ આદેશ મળે. "
કુતિયાણામાં મુસ્લિમોની સંખ્યા મેટી હતી. તેમને મેટો ભાગ શ્રીમંત મેમણોને હતા. તેમને વ્યાપાર સીન, જાપાન, આફ્રિકા વગેરે દેશોમાં હતા અને પાકીસ્તાનને વિચાર પ્રસર્યો તે સાથે તે પૈકીના મોટા ભાગના મેમણ શ્રીમતિએ કરાંચીમાં મિલકત ખરીદ કરી લીધેલી અને દુકાને અને પેઢીઓ પણ શરૂ કરી દીધેલી. અહિ તે તેમનાં મકાને હતાં. તેઓએ આરઝી સામે મોરચો પણ બાંધેલ. અને જ્યારે તેમણે ત્રિરંગો લહેરાતે જે ત્યારે સ્વેચ્છાએ કુતિયાણા છોડી પિતાનું લઈ જઈ શકાય એવું અને એટલું રાચરચીલું લઈ પાકીસ્તાન ચાલ્યા ગયા. એવી જ સ્થિતિ બાટવાની હતી અને તે સિવાય