SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૧ જૂનાગઢ અને ગિરનાર એ પણ નોંધવું રસપ્રદ થઈ પડશે કે મહાબતખાન નવમા નવાબ હતા. તેને નવ બેંગમો થઈ હતી અને તેના અમલમાં નવ દીવાને થયા. મહાજને - નવાબી સમયમાં જૂનાગઢની પ્રજાનું નેતૃત્વ લઈ તેના પ્રશ્નો રાજા પાસે રજૂ કરી પ્રજાને સહાય અને માર્ગદર્શન આપતા પ્રતિષ્ઠિત મહાજનેમાં સ્વ. શેઠ રૂઘનાથ માધવજી રાજા, સ્વ. શેઠ પ્રભુદાસ કરશનદાસ બળીયા, સ્વ. શેઠ અબ્દુલહુસેન મુલાં છવાઇ, સ્વ. વકીલ શ્રી નૃસિંહપ્રસાદ કહાનદાસ નાણાવટી, સ્વ. વકીલ શ્રી જેઠાલાલ રૂપાણી વગેરે ગૃહસ્થો ઉલ્લેખનીય છે. સ્વાધીનતા પશ્ચાદ્દ - તા. ૮મી નવેમ્બર ૧૯૪૭ના રોજ જૂનાગઢને કબજે ભારતનાં સૈન્યએ લીધે કે તરત જ બ્રીગેડીયર ગુરૂદયાલસિંહે શહેરમાં અને રાજ્યના જુદા જુદા ભાગમાં થાણાઓ ગોઠવી દીધાં અને સેંટ્રલ રિઝર્વ પોલીસનું દળ કેપ્ટન વરિયામસિંહની સરદારી નીચે પણ જુદે જુદે સ્થળે ગોઠવાઈ ગયું અને અરાજકતા ફેલાવતાં તને અંકુશમાં લીધાં. સરદારનું આગમન ઐતિહાસિક ઉપરટ ઉપર ત્રિરંગો લહેરાવે છે તે સમાચાર ભારતના અગ્રિમ નેતા અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને મળતાં તે તરત જ જૂનાગઢ આવ્યા. બહાઉદીન કેલેજને વિશાળ પટ્ટાંગણમાં તારીખ ૧૩-૯૧૯૪૮ના રોજ તેણે વિરાટ માનવ મેદનીને સંબોધી, મુરિલમને શાંતિ અને સલામતીની ખાત્રી આપી ત્યાંથી તેઓ પ્રભાસપાટણ ગયા અને સોમનાથના ધ્વસિત મંદિરના પુનર્નિમણિની ઘોષણા કરી યોગાનુયોગ આ સમયે દીવાળીના દિવસે હતા તેથી પ્રજાએ આઝાદીનું પર્વ અપૂર્વ અને અભૂતપૂર્વ ઉત્સાહથી ઉજવ્યું. . વહીવટી તંત્ર જૂનાગઢ રાજ્યને હિન્દી સંધની સરકારે પિતાના સીધા વહીવટ નીચે જુનાગઢ નગરપાલિકાએ સરદારની સ્મૃતિ છવંત રાખવા કાળવા પુલના દક્ષિણ છેડે ચિમાં તેની વિરાટ પ્રતિમા મૂકી છે. તેનું પ્રસ્થાપન શ્રી મોરારજી દેશાઈના હસ્તે તા. ૧૨-૧૧-૧૯૬૧ના રોજ થયું ત્યારથી આ ચોક સરદાર ચોક કહેવાય છે. 2 વિગતો માટે જુઓ “પ્રભાસ અને સોમનાથ શં, હ. દેશાઈ.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy