________________
બાબી વંશને અંત ઃ ૩૬૮
દેવજી રાણાએ મેર જુવાનોને, યુધ્ધમાં ચડવા પ્રેરણા આપી. મહંત મોતીગિરજી, છોટુભારથી, ભાડવા દરબાર સ્વ. શ્રી. ચંદ્રસિંહજી, વાઘણીયા દરબાર
સ્વ. શ્રી અમરાવાળા, વસાવડ દરબાર શ્રી માર્કન્ડરાય દેશાઈ વગેરે જે વીર પુરુષોએ સક્રિય સાથ આપ્યો તે સર્વે આ સાહસની સફળતાના યશભાગી છે.
આ ભાઈઓ ઉપરંત આર્થિક સહાય, માર્ગદર્શન, ગુપ્ત માહિતી વગેરે પૂરાં પાડનાર કેટલાક ભાઈઓનાં નામ અપ્રગટ રહ્યાં છે અને કેટલાક ભાઈ. ઓનાં નામે પ્રગટ કરવાનું હિતાવહ નથી.' બાબી વંશને અંત
આમ ઈ. સ. ૧૭૪૭-૧૭૪૮માં શેરખાન ઉર્ફે બહાદરખાન બાબીએ સ્થાપેલું જુનાગઢનું રાજ્ય સદાને માટે ઈ. સ૧૯૪૭માં નષ્ટ થયું. બસો વર્ષો પર્યત સોરઠની ભૂમિ ઉપર લહેરાત બાબી વંશને વજ સંકેલાઈ ગયો અને ઈસવી સન પૂર્વે જે પ્રકારનું તંત્ર હતું તેવું પ્રજાનું તંત્ર પુનઃ અસ્તિત્વમાં આવ્યું. આગમ જૂનાગઢ વિસ્તારમાં વર્ષોથી પ્રચલિત થયેલું આઈ નાગબાઈનું આગમ *
“વીશ શત વિક્રમ વિતશે આળસશે અસરાણા”
“ચડશે ધજાઉં ધરમની નહિ રહે નેજાને નિશાણ” સાચું પડયું. વિક્રમનાં બે હજાર વર્ષ વ્યતિત થયા પછી વિ. સં. ૨૦૦૩ માં મુસ્લિમ સત્તાને અંત આવ્યો. એક બીજું પણ પ્રચલિત કથન હતું કે “બાર બાબી, નવ નવાબ, તેરમી ટેપી તે પ્રમાણે પણ નવમાં નવાબના સમયમાં
નવાબીને અંત આવ્યો.
આરઝી હકુમતને તન, મન અથવા ધનથી સહાય આપનારા તથા આ રાજ્ય ક્રાન્તિના સમયે અંદર અને બહાર રહી કામ કરનારા અધિકારીઓ, વ્યાપારીઓ, વગેરે દેશભક્ત ભાઈ બહેન નામની નામાવલિ એવડી મેટી થાય છે કે તે વિસ્તારભયે આપી શકાય તેમ નથી. જનાગઢ અવશ્ય તે સહુનું ઋણ છે. જેમનાં નામો આપી શકાયાં નથી તેઓ મને ક્ષમા કરે. વળી આરઝી હકુમત સ્વયં એક સ્વતંત્ર પુસ્તકનો વિષય છે એટલે આ પુસ્તકમાં જેટલી વિગતો આવરી શકાય તેટલી જ લીધી છે તેની ધ પણ વાચકો
લેવા કૃપા કરે. લેખક. 2 આગમ માટે જુઓ નાગાઈ પુરાણ- શ્રી કાનજીભાઈ લાંગડીયા. જ. ગિ-૭