SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ઃ જૂનાગઢ અને ગિરનાર ગિરિનગર - ઈ. સ. ૧૫-૧૫રમાં શક મહાક્ષત્રપ રુદ્રદામાને ગિરિનગર ઉપર અધિકાર હતો તેમ ઈટવા અને બોરદેવીમાં કરેલા ઉખનનમાંથી મળેલી મુદ્રા આદિથી જ્ઞાત થાય છે. તદુપરાંત અશોકના લેખની બાજુમાં કેતરાવેલા તેના લેખમાં ગિરિનગરને સ્પષ્ટ ઉલ્લેખ છે. ઈ. સ. ૨૨૩-ઈ. સ. ૨૩૬ની વચમાં શકોએ ઉજજૈન ગુમાવી ગિરિનગરમાં તેની રાજધાની ફેરવી અને તેને કદાચ સુવર્ણગિરિનગર કે સાર્વભૌમ નરેન્દ્રપુર એવું નામ આપ્યું. સુવર્ણગિરિનગર એ જ ગિરિનગર હતું કે કેમ તેના માટે સ્પષ્ટ પ્રમાણે ઉપલબ્ધ નથી પરંતુ ગિરિનગર પાસેથી વહેતી સુવર્ણરેખા સરિતા ઉપરથી કદાચ સુવર્ણગિરિનગર નામની યોજના થઈ હોય ! સાર્વભૌમનરેન્દ્રપુર નામ તે સ્વામિલકની કૃતિ પાતાડીતકમાં શક રાજ ગુપ્ત પ્રધાન સાથે શકની રાજધાની સાર્વભૌમનરેન્દ્રપરમાં વાત કરે છે. તેનું વર્ણન છે તે ઉપરથી માની લેવાનું છે. ગમે તેમ હોય, તેનું નામ સુવણગિરિનગર હેય કે સાર્વભૌમનરેન્દ્રપુર હોય પણ એ નિઃશંક રીતે સ્પષ્ટ છે કે શકાના સમયમાં ગિરિનગર નામે ઓળખાતું આ નગર એક અગત્યનું નગર હતું. શકેને ઉછેદ થય અને ગુપ્ત સામ્રાજયની સ્થાપના થઈ ત્યારે પણ ગિરિનગર એક પ્રાંતીય રાજધાની જેવું નગર હતું. સ્કંદગુપ્તના ઈ. સ. ૫૫૪૫૬ના પર્વતીય લેખમાં પ્રશસ્તિકાર લખે છે કે તેના ઉપર શાસન કરવા માટે સુયોગ્ય વ્યક્તિની પસંદગી કરવાની ચિંતા સમ્રાટે દીર્ઘ કાળ કરીને પર્ણદત્તને ત્યાં નિયુકત કરેલો. તેને ઉત્તમ ગુણવાળો અને આત્મશ્રદ્ધાવાળો ચકપાલિત, પુત્ર હતા અને તેણે કોને ચિંતામુક્ત કરેલા અને દુષ્ટોને દંડેલા. ઉકત લેખમાં આ નગરને ગિરિનગર ન કહેતાં માત્ર નગર કહ્યું છે અને તેથી એમ પણ જણાય છે કે તેનું લોકપ્રિય કે સંક્ષિપ્ત નામનગર થઈ ગયું હોય ! - ઈ. સ. ૪૮ન્માં વલભીપુરમાં ભદગુપ્તના નામે સ્વતંત્ર રાજયની સ્થાપના કરી અને ઈ. સ. ૪૯૯ લગભગ ગુપ્ત સામ્રાજ્યના પતન પશ્ચાદ્દ સંપૂર્ણ સ્વતંત્રતા ધારણ કરી અને થોડા જ કાળમાં એક બળવાન સામ્રાજ્યની સ્થાપના કરી. આ સમયના ગુ. વ. સંવત ૩૧૨-ઈ. સ. ૧૨૮ અને ગુ. વ. સંવત ૩૪૬-ઈ. સ. ૬૬રના બે તામ્રપત્રોમાં ગિરિનગરને ઉલેખ છે અને ઈ. સ. ૬૪૦ આસપાસ સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા ચીની પ્રવાસી હ્યુએન સાંગ તે નગરને ગિરિનગર ન કહેતાં નગર કહે છે એટલે ગિરિનગરનું બીજું પ્રજાપ્રિય નામ નગર હશો જૈન કથા વાસુદેવ હિડિમાં ગિરિનગરના એક સાર્થવાહની વાર્તા છે અને તેમાં આ નગરનું સુંદર વર્ણન છે.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy