________________
જૂનાગઢ : ૩૫
પુરાણકારનું કથન સાચું માનીયે તે રેવંત નામ મહાભારત પૂર્વે હજારો વર્ષ પૂર્વે હતું. અન્ય પુરાણના વિધાન પ્રમાણે શ્રીકૃષ્ણ દ્વાપરના અંતમાં અને કલિના પ્રારંભમાં થયા ત્યારે ઉપરોકત લેકમાં દર્શાવ્યા પ્રમાણે કલિકાલમાં આ નગર પુરાતનપુર નામે ઓળખાયું. આને સ્પષ્ટ અર્થ એ થાય કે શ્રીકૃષ્ણના સ્વધામગમન પશ્ચાદ્ આ નગર પુરાતનપુર થઈ ગયું. ચંદ્રકેતુપુર
ચંદ્રકેતુપુરનો ઈતિહાસ આપતાં પુરાણકાર કહે છે કે આ પૃથ્વી ઉપર પુરાતની ચંદ્રકેતુ નામે પ્રખ્યાત રાજા હતા તે સૂર્યવંશીય હતા અને વારંવાર વૈકુંઠમાં જતા. એકવાર તેને નારાયણે કહ્યું કે “વૃદ્ધાવસ્થાના કારણે તમારે વૈકુંઠમાં આવવાથી કષ્ટ થાય છે. માટે હવે વૈકુંઠમાં ન આવતાં રેવતાચળ રાજધાની વસાવી ત્યાં રહો.” ચંદ્રકેતુ રેવતાચળનું સ્થાન જોઈ પ્રસન્ન થયા અને ત્યાં તેણે મોટા મહાલ, મંદિરે, ધારે અને કોટવાળું મોહર નગર બાંધ્યું. પુરાણકાર વિશેષમાં એમ પણ કહે છે કે ? '
કલિકાલમાં ચંદ્રકેતુનું વસાવેલું આ નગર જીર્ણદુર્ગના નામે પ્રસિદ્ધ થશે.” અંતિમ વિધાનથી સ્પષ્ટ થાય છે કે ઈસુની છઠ્ઠી કે સાતમી સદીમાં સ્કંધપુરાણને પ્રભાસખંડ લખાય ત્યારે ગિરિનગર જીર્ણદુર્ગ નામે ઓળખાતું અને તેથી જ પુરાણકારે કહ્યું કે કલિયુગમાં તે પુરાતનપુર કહેવાતું અને તે પહેલાં તેનું નામ ચંદ્રકેતુપુર હતું અને તે ચંદ્રકેતુ નામે પ્રખ્યાત રાજાએ વસાવ્યું હતું. ઈ.સ. પૂર્વ ત્રીજી-ચોથી સદીમાં થયેલા ચંદ્રગુપ્ત મૌર્યે ગિરિનગર વિકસાવ્યું અને ત્યાં ગિરિદુર્ગ બાંધે, સુદર્શન તળાવ બાંધ્યું અને તેના પુત્ર મ્રાટ અશોકે તે સરોવરની પાળે તેની આજ્ઞાઓ પર્વતીમાં કેતરાવી, તે માહિતીને પિતાની લાક્ષણિક શૈલીમાં પુરાણકારે આપી કહ્યું કે આ નગર ચંદ્રગુપ્ત વિકસાવેલું અને તેનું નામ ચંદ્રકેતુપુર આપેલું. પુરાણકાર એમ પણ કહે છે કે ગિરનાર પાસે દિય સરેવર પણ હતું.
પુરાણકારે ઈતિહાસને નિર્મળ અને નિર્ભેળ સ્વરૂપમાં રજૂ કરવાને બદલે તેમાં તેમની પ્રચલિત પદ્ધતિ પ્રમાણે દેવોની ઉપસ્થિતિ, ચમત્કારો આદિનું વર્ણન કરી સત્ય વસ્તુને અસંગત બનાવી દીધી છે પરંતુ તેનું વર્ણને સમય રીતે વિચારતાં તે જે નગરનું વર્ણન આપે છે તે નગર તે ગિરિનગર અને તે જ તેના કાલમાં વસતું તે જીર્ણ દુર્ગ.
મૌનું સામ્રાજ્ય છિન્નભિન્ન થયું અને કેની સત્તા સૌરાષ્ટ્રમાં સ્થિર થઈ ત્યારે સંભવત્ તેઓએ ચંદ્રકેતુપુર કે ચંદ્રગુપ્તપુર નામ મિટાવી દીધું અને તેને પુનઃ ગિરિનગર નામ આપ્યું