________________
૩૪ : જૂનાગઢ અને ગિરનાર
જન સંખ્યા
જૂનાગઢની જન સંખ્યા ઈ. સ. ૧૯૭૧ની ગણત્રી પ્રમાણે ૯૫૯૪પની છે. છેલ્લાં સીત્તેર વર્ષના આ જન સંખ્યાના આંકડા નીચે પ્રમાણે છે.
ઈ. સ. ૧૯૦૧ - ૩૪રપ૧ ઈ. સ. ૧૯૧૧ - ૩૫૩૫૪ ઈ. સ. ૧૯૫૧ – ૬ર૭૩૦ ઈ. સ. ૧૯૨૧ - ૩૩૨૨૧ ઈ. સ. ૧૯૬૧ - ૭૪૨૯૮ ઈ. સ. ૧૯૩૧ – ૩૯૮૯૦ ઈ. સ. ૧૯૭૧ – ૯૫૯૪૫
ઈ. સ. ૧૯૪૧ - ૫૮૧૨૧ ઈ. સ. ૧૯૮૧ – ૧૨૦૪૧૬ કિલ્લે
જૂનાગઢ ફરતો કિલે છે જેની અંતર્ગત ઉપરકોટને દુર્ગ છે. ગિરના કેટને પશ્ચિમ અને ઉત્તર દીવાલને કેટલેક ભાગ અને કાળવા તથા વંથલી દરવાજાથી જાણીતાં દુર્ગ દ્વારે, થોડાં વર્ષો પૂર્વ નગર વિસ્તારની દૃષ્ટિએ પાડી નાખવામાં આવ્યાં છે. જુનાં નામે
સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં અધ્યાય ૭થી અધ્યાય 'પરમાં પૌરાણિક શૈલીમાં ગિરનાર માડાન્ય આલેખ્યું છે. તેમાં પુરાણકાર કહે છે કે જૂનાગઢનું મૂળ નામ કરણકુળ્યુ હતું અને તેના આધારે તેને કરણદેજ અને કરણવિર પણ કહેવામાં આવ્યું છે. આ કારણ કે કણે કણ હતા તે પુરાણકાર કહેતા નથી. મહાભારત કાળમાં કર્ણ મહારથી થયે તેણે આ પ્રદેશમાં કેઈ નગર વસાવ્યું હોય કે તે અહીં વસતે હેય તે ઉલ્લેખ કયાંય પ્રાપ્ત નથી. અન્યત્ર કહેવામાં આવ્યું છે કે,
आदौ मणिपुर नाम चंद्रकेतुपुर स्मृत तृतीय रेवत नाम कलौ पुरातनपुर : ॥ ...
એ વિધાન અનુસાર આ નગરનું મૂળ નામ મણિપુર હતું. તે નામ કોણે આપ્યું, શા માટે આપ્યું, અને કયા યુગમાં કે જ્યાં સુધી પ્રચલિત હતું તે માટે પણ પુરાણકાર મૌન સેવે છે. તેમ છતાં તે કહે છે કે મણિપુર પછી આ નગર ચંદ્રકેતુપુર કહેવાતું. આ નામ રેવંત નામ પડ્યા પહેલાં હતું અને હરિવંશ પ્રમાણે રેવંત યાદવે પૂર્વે ચાર ચેકડી યુગ પહેલાં થઈ ગયો એટલે