SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશને-અંત ઃ ૩૬૭ શંકા અને ભાતિનાં અમંગલ ચિહ્નો દેખાવા લાગ્યાં. સમજુ અને વતનપ્રેમી મુસ્લિમો, આ પારેસિસ્થતિમાંથી ઉગરવા માટે સર શાહનવાઝ ઉપર દબાણ કરવા લાગ્યા પણ તેને હઠાગ્રહ જેટલું તે દબાણ હતું તેટલે જ દઢ રહો. કુતિયાણને ઘેરે - કુતિયાણા ઉપર આરઝી હકૂમતનાં સૈન્ય હલ્લે લઈ ગયાં ત્યારે ત્યાંના શ્રીમંત મેમણ વ્યાપારીઓએ, સંધીઓને રોકી, રાજ્યના પોલીસ દળના સહકારથી તેને સામને કર્યો. કુતિયાણા પંથકના મેર જવાને, મરડાના શ્રી. રામ સામત તથા શ્રી. કરસન સામત મેઢાની આગેવાની નીચે આવી પહોંચ્યા. પોરબંદરથી વયેવૃદ્ધ આગેવાન માલદેવજી રાણું પણ મેર જવાનેને લઈ આરઝી હકૂમતની સેનાને આવી મળ્યા. પોરબંદર તથા જામનગરના ગીરાસીયા જવાને પણ આવી પહોંચ્યા. તેમના વીરતાપૂર્વક કરેલા આક્રમણ સામે દુર્ગરક્ષકે ટકી શકયા નહી. આરઝીના સનિ કિલ્લાની દીવાલ ઉપર ચડી ગયા અને કુતિયાણા સર કર્યું. કુતિયાણાના ઘેરેમાં ગુમાનસિંહ નામને આરઝીને એક સૈનિક મરાણ તથા ડે. રસિકલાલ જીવણલાલ વ્યાસ નામના યુવાન ડોકટરે પણ પ્રાણની આહુતી આપી. કુતિયાણા પડયા પછી ત્યાંના ડો. મુકુંદરાય નાણાવટીએ પ્રજાનું નેતૃત્વ લીધું અને તેમના સાથીદારોએ વિજેતા સૈનિકેનું સ્વાગત કર્યું. શરણાગતિ ભુટાને ચારે કેમર ભુતાવળ ભાસવા માંડી, તેને શ્વાસ અધ્ધર થઈ ગયો. તેણે નવાબને પરિસ્થિતિની જાણ કરતાં કરાંચીથી તેણે જવાબ આપો કે “ખુનામરકી થાય નહિ તેથી હિન્દી સંઘનું શરણ શોધવું” આ ઉપરથી સર શાહનવાઝ ભુટાએ, કાઉન્સીલના અંગ્રેજ સભ્ય કેપ્ટન હાર્વે જેને તારીખ ૭-૧૧-૧૯૪૭ના રોજ રાજકેટના રિજીયોનલ કમિશનર શ્રી. નીલમભાઈ બૂચ પાસે મેકલી હિન્દી સંધની શરણાગતિ યચી. i: ભુટો ન તે જૂનાગઢના રાજકર્તા હતા કે ન તે પ્રજાના પ્રતિનિધ, તેથી શ્રી નીલમભાઈએ તેના પત્ર ઉપર કાંઈ પણ કરવાની અશક્તિ દર્શાવતાં કેપ્ટન હાર્વે જેન્સ પાછા જૂનાગઢ ગયા. ભુટોએ તેથી જૂનાગઢમાં જે પ્રજાજને હતા તેમના અગ્રણીઓને બેલાવી પિતાની અસહાયતાનું વર્ણન કરી તેમની ઈચ્છા શું છે તે પૂછતાં ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ સર્વાનુમતે ભારત સરકારની શરણાગતિ સ્વીકારી લેવા ભુટાને આગ્રહ કર્યો અને પ્રજાના પ્રતિનિધિઓએ કરેલ ઠરાવ લઈ કેપ્ટન હાર્વે જેન્સ તારીખ ૯-૧-૧૯૪૭ના રોજ પાછા રાજકોટ ગયા અને રિજીનલ કમિશનરને ફરી નિવેદન રજૂ કરતાં
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy