SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ જૂનાગઢ અને ગિરનાર જુનાગઢ શહેરમાં એકશન કાઉન્સીલ નામની એક ગુપ્ત મંડલની રચના થઈ. તેમાં મુસ્લિમ અધિકારીઓની દોરવણી નીચે રોજ એક “ઓર્ડર ઓફ ધી!' બહાર પડતા તેમાં કઈ રીતે, હિન્દુ પ્રજા ઉપર દમન કરવાનું છે તેની સુચનાઓ અપાતી. જેઓ પોલીસ દફતરે ભયંકર ચોર, ડાકુ અને ખૂની તરીકે નેધાયેલા તવા સોઢાણા, વડાળા, રઘડા, ભડુલા, નવી બાલચ વગેરે ગામોના સંધીઓને રાજ્ય બેલાવી તેમને હથિયારે આપી છૂટા મૂકી દીધા. તેઓનાં કેળાં દિવસે જૂનાગઢના હિન્દુ લત્તાઓમાં ગમે તેમ બેલતાં, અશિષ્ટ વર્તન કરતાં ઘુમવા લાગ્યાં. એકશન કાઉન્સીલ અને જમીયતુલ મુસ્લમીન, ખા. બ. મહમદહુસેનશાહ નકવીની દેરવણી નીચે, જૂનાગઢની ધીગતીધરા કરશે એવી ભીતિ સમજુ અને વિચારશીલ મુસ્લિમોને લાગતાં તેઓ પૈકીના ઘણે ગૃહસ્થ એ. તેમના કુટુંબોને હિન્દુસ્તાનમાં મોકલી આપ્યાં. પરંતુ આ ભયંકર યોજના આકાર લે તે પહેલાં, રાજકેટમાં નામદાર મહૂમ જામ સાહેબે તેની સામે કડક, શબ્દમાં ચેતવણી ઉચ્ચારી અને નવાબ મહાબતખાને કરાંચીથી દીવાન ઉપર સંદેશા મોકલી તેની યતનું લોહી ન રેડાય તે માટે કાળજી રાખવા આજ્ઞા આપી. પૂ ગાંધીજી પૂજ્ય ગાંધીજીએ આ વાતો સાંભળીને, જજૂનાગઢના નવાબે લીધેલા આત્મઘાતી પગલાં માટે તેના એક ભાષણમાં કહ્યું કે, “કાઠિયાવાડમેં તે વેરાવળભી , લેકિન વહ તે જૂનાગઢમેં હૈ ઔર જુનાગઢ તે પાકીસ્તાનમેં ચલા ગયા. જૂનાગઢમેં પાકીસ્તાન કિસ રીતસે બન સકતા હૈ? આસપાસકી સભી રિયાસત હિન્દુ રિયાસત હૈ ઔર જૂનાગઢ રિયાસતકી આબાદીકા હિસ્સાભી હિન્દુઓકા છે, તેભી જૂનાગઢ પાકીસ્તાનમેં દાખલ હુઆ યહ બડી ગજબનાક બાત હૈ. જૂનાગઢ સે પાકીસ્તાન જાનહી ચાહીયે.” નિષ્પક્ષપાતી અને તટસ્થ એવા રાષ્ટ્રપિતાને અભિપ્રાય પણ મળી ગયે, પરંતુ જૂનાગઢને પાકીસ્તાનમાંથી પાછું વળવાને કઈ માર્ગ રાજપુરુ પાસે ન હતે. બંધારણીય રીતે ભારત સુધાં પગલાં લઈ શકે નહિ અને લે તે તેનું પરિણામ યુદ્ધમાં જ આવે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિના પ્રારંભમાં જ આ પ્રકારનું પગલું લેવું વાસ્તવિક કે હિતાવહ હતું કે નહિ તેને વિચાર પણ જવાબદાર નેતાઓને કરવાને હતિ. પાકીસ્તાને ભારતમાં જોડાયેલા કાશ્મીર ઉપર બળાત્કારે આક્રમણ કરી કેટલોક ભાગ બળજબરીથી દબાવી દેવા કોશિશ કરેલી પણ ભારતની સરકાર જૂનાગઢ માટે શું કરવું તેને ઉકેલ શોધતી રહી.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy